કોરોના વાયરસને કારણે બેંકના ગ્રાહકો બ્રાન્ચમાં જવા માટે બચે અને ડિજિટલ ટ્રાન્ઝેક્શનનનો ઉપયોગ કરે. આ માટે બેંક ઑફ બરોડાને ડિજિટલ લેવડદેવડને પ્રોત્સાહિત કરવા માટે પગલા ભર્યા છે.
બેંકની તરફથી આગામી 3 મહિના સુધી બેંક તરફથી ડિજિટલ ટ્રાન્ઝેક્શનનેસંપૂર્ણ રીતે ફ્રી કરી દેવામાં આવ્યું છે. એટલે કે, આવનારા ત્રણ મહિના દરમિયાન ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરવા માટે ગ્રાહકો પાસેથી બેંક કોઈ ફી નહીં વસૂલે. બેંકે stay Safe Bank Safe ટેગલાઇન સાથે આ અભિયાન શરૂ કર્યું છે.
બેંક ઓફ બરોડા પછી અન્ય બેંક પણ તેમના ગ્રાહકો માટે આ સુવિધા શરૂ કરી શકે છે. ગુરુવારે બેંક ઓફ બરોડાએ કહ્યું કે, ગ્રાહકોને વધુ સારી અને અવિરત બેંકિંગ સુવિધા પ્રદાન કરવા માટે ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં કોઈ ચાર્જ નહીં લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બેંકે કહ્યું કે, આ સમય પોતાની જાતને અને બેંકને સુરક્ષિત રાખવાનો છે. આવી સ્થિતિમાં લોકોએ સામાજિક અંતર જાળવવું પડશે અને બેંક આ પહેલમાં ગ્રાહકોને પૂરતી મદદ કરશે.
નોટબંધી વખતે ડિજિટલ ટ્રાન્ઝેક્શન વધ્યું હતું
નોટબંધી પછી થયેલી રોકડની અછત બાદ અને સરકારની વિનંતી બાદ બેંકોએ ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં રાહત આપી હતી. પેટ્રોલ-ડીઝલ, રેલવે, વીમા, પીએસયુ, ટોલ પ્લાઝા પર કાર્ડ અથવા વોલેટ પેમેન્ટ કરે તો સરકારે 0.5%થી 10% છૂટ આપવાની ઘોષણા કરી હતી.