સાર્વજનિક ક્ષેત્રની બેન્ક ઓફ બરોડા (BOB) એ કહ્યું છે કે તે ગ્રાહકોને તેમના માર્ચ મહીનાનો કપાયેલો હપ્તો (EMI) પાછો આપવાની રજૂઆત કરી રહી છે. આમ એટલા માટે કે ગ્રાહક કોરોના વાયરસ (Coronavirus) મહામારીને કારણે ઉત્પન્ન સંકટની સ્થિતિમાં પોતાની રોકડ જરૂરિયાતો પૂર્ણ કરી શકે. બેન્કે આ વિકલ્પ માત્ર હોમ અને વ્હીકલ લોન લેનારા ગ્રાહકોને આપ્યો છે.
બેન્ક ગ્રાહકોને માર્ચ મહીનાનો કપાયેલો હપ્તો (EMI) પાછો આપવાની રજૂઆત કરી છે: બેન્ક ઓફ બરોડા
કેટલાક મામલાઓમાં હપ્તો RBIની જાહેરાત થયા પહેલા જ કાપી લેવામાં આવ્યો હતો: બેન્ક ઓફ બરોડા
રિઝર્વ બેન્ક દ્વારા તમામ પ્રકારની લોન (ટર્મ લોન) પર એક માર્ચ 2020થી 31 મે 2020 દરમિયાન લેવામા આવનાર માસિક હપ્તા પર ત્રણ મહીનાની રોક લગાવવાની જાહેરાત કરી છે. કેન્દ્રીય બેન્કે કોરોના વાયરસ મહામારીની રોકથામ માટે જારી 'લૉકડાઉન' ને કારણે આર્થિક ગતિવિધિઓ પ્રભાવિત હોવા અને લોકો પર લોનની ભરપાઇનો બોજ હલકો કરવા માટે આ જાહેરાત કરી છે.
RBIની જાહેરાત પહેલા જ કપાઇ ગયો હતો હપ્તો
બેન્ક ઓફ બરોડાના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ સંજીવ ચઢ્ઢાનું કહેવું છે કે કેટલાક મામલાઓમાં હપ્તો RBIની જાહેરાત થયા પહેલા જ કાપી લેવામાં આવ્યો હતો. જ્યારે તેના લાગુ થવાની અવધિ એક માર્ચ 2020થી છે. એ મામલાઓમાં અમે અમારા ગ્રાહકો (મકાન અને વાહન લોન લેનાર)ને વિકલ્પ આપી રહ્યા છે. તેઓ અમને આ વિશે અપીલ કરી શકે છે અને અમે એ સુનિશ્ચિત કરીશું કે અમે માસિક હપ્તા રૂપે કાપેલી તેમની રાશિ પરત આપી દઇએ. તેઓએ આગળ કહ્યું કે અમારુ માનવું છે કે આ વિશેષ પરિસ્થિતિ છે અને બની શકે કે લોનધારક આ સમયે પૈસા પોતાની પાસે રાખવા ઇચ્છતા હોય.
ચઢ્ઢાએ કહ્યું કે, મારુ માનવું છે કે આરબીઆઇના આદેશની ભાવના આ જ રહી છે અને અમે એ સુનિશ્ચિત કરવા ઇચ્છીશું કે જ્યારે બેન્કના ગ્રાહકોના લાભની વાત આવે તો અમે એ ભાવના સાથે જ નિર્દેશોને લાગુ કરીએ.
તેઓએ કહ્યું કે બેન્ક કાપવામાં આવેલી EMI ( મૂળ અને વ્યાજ) પરત કરવાની રજૂઆત કરે છે. બેન્ક તેમને ત્રણ મહીના દરમિયાન બેન્કના હપ્તા ભરવા માટે નહીં કહે. જ્યારે જે લોનધારકોના મામલામાં હપ્તો કાપ્યા પહેલા નિર્દેશ મળ્યા છે, બેન્ક તેમની પૂછપરછ કરી પૂછી રહ્યું છે કે શું તે પહેલાથી જ જારી EMI કાપવાના નિર્દેશને સસ્પેન્ડ કરવા ઇચ્છે છે.
મોકલી રહ્યા છીએ એસએમએસ (SMS)
તેઓએ આગળ જણાવ્યું કે અમે એસએમએસ દ્વારા સંદેશ મોકલી રહ્યા છીએ અને તેઓ જવાબ આપી શકે છે અમે તેને સસ્પેન્ડ કરી દઇશું. RBIની ત્રણ મહીનાની સમયમર્યાદા વિશે સ્પષ્ટતા કરતા ચઢ્ઢાએ કહ્યું કે કારોબાર લોનના મામલામાં બાકી લોન પર વ્યાજ ત્રણ મહીનાની રોક બાદ ચૂકવવાપાત્ર બનશે. જ્યાં સુધી હોમ અને કાર લોનની વાત છે તો આ મામલામાં અમે લોનની સમયમર્યાદા વધારી રહ્યા છીએ. આમ લોનધારકોએ ત્રણ હપ્તાને લઇને ચિંતિત થવાની જરૂર નથી.