બેંક ઓફ બરોડાએ રવિવારે પોતાની હોમ લોનના વ્યાજદરને 40 આધાર પોઈન્ટથી ઘટાડીને 8.5 ટકા કરી દીધુ છે.
બેંક ઓફ બરોડાએ વ્યાજદરોમાં કર્યો ઘટાડો
જાણો કેટલા ટકાનો થયો ઘટડો
બેંકે પોતાની MSME લોનના વ્યાજદરોમાં પણ કર્યો ઘટાડો
જો તમે હોમ લોન લેવાનું વિચારી રહ્યા છો તો તમને સસ્તા વ્યાજદરે હોમ લોન મળી શકે છે. કારણ કે રાજ્યના સ્વામિત્વ વાળી બેંક ઓફ બરોડાએ રવિવારના મુકાબલાને મ્હાત આપવા માટે પોતાના હોમ લોનના વ્યાજદરોને 40 આધાર પોઈન્ટથી ઘટાડીને 8.5 ટકા કરી દીધા છે.
તે ઉપરાંત બેંકે પોતાની MSME લોનના વ્યાજદરોને પણ ઘટાડીને 8.40 ટકા કરી દધા છે. બેંક ઓફ બરોડાએ એક નિવેદનમાં જણાવ્યું કે બંન્ને ઓફર 5 માર્ચ, 2023થી પ્રભાવી છે અને 31 માર્ચ, 2023 સુધી સીમિત સમયગાળા માટે માન્ય છે.
50 ટકા પ્રોસેસિંગ ચાર્જ પર છૂટ
બેંકે દાવો કર્યો છે કે આ ઉદ્યોગમાં સૌથી ઓછી અને સૌથી વધારે કોમ્પીટીટર વ્યાજદરોમાંથી એક છે. પોતાના વ્યાજદરોને ઓછા કરવા ઉપરાંત બેંક હોમ લોન પર પ્રોસેસિંગ ચાર્જ પર 100 ટકાની છૂટ અને એસએસએમઈ લોન પર 50 ટકા પ્રોસેસિંગ ચાર્જની છૂટ પણ આપી રહ્યા છે.
ક્રેડિટ સ્કોરના આધાર પર મળશે લોન
બેંકનું કહેવું છે કે 8.5 ટકાથી શરૂ થતી નવી હોમ લોન પર નવી હોમ લોન, બેલેન્સ ટ્રાન્સફર તેમજ હોમ ઈમ્પ્રૂવમેન્ટ લેન માટે અરજી કરનાર ઋણધારકો માટે 8.5 ટકાથી શરૂ થતા નવા હોમ લોનના રેટ ઉલબ્ધ છે.
દરેક ક્રેડિટર્સના ક્રેડિટ સ્કોર સાથે જોડાયેલા છે. બેંકનું કહેવું છે કે જે ગ્રાહકોનો ક્રેડિટ સ્કોર સારો છે તેમને સરળતાથી ઓછા વ્યાજદરો પર લોન મળી જશે.
ઓછી થઈ જશે ઈએમઆઈ
જણાવી દઈએ કે જો તમે બેંક ઓફ બરોડાથી 5 માર્ચથી 31 માર્ચની વચ્ચે હોમ લોન અને એમએસએમઈ લોન લે છે તો તમને હોમ લોન પર 8.5 ટકા અને એમએસએમઈ લોન પર 8.40 ટકા વ્યાજ આપવાનું રહેશે. નવા વ્યાજદરોના આધાર પર તમારી ઈએમઆઈ પણ ઓછી થઈ જશે.
જેથી તમારે ઓછુ વ્યાજદર આપવું પડશે. જો તમે આ પ્રકારની લોનનો ફાયદો લેવા માંગો છો તો તમારી પાસે ફક્ત 31 માર્ચ સુધીનો સમય છે. તેના બાદ બેંક હોમ લોનના વ્યાદરોમાં વધારો કરી શકે છે.