દેશની સૌથી મોટી બેંક એસબીઆઈ અને બેંક ઓફ ઈન્ડિયા પછી હવે બેંક ઓફ બરોડાએ પણ તેના ગ્રાહકોને મોટી ભેટ આપી છે. બેંક ઓફ બરોડાએ સોમવારે બરોડા રેપો લિંક્ડ લેન્ડિંગ રેટ (BRLLR)માં 75 બેસિસ પોઈન્ટ્સ એટલે કે 0.75 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે.
કોરોના સંકટ વચ્ચે રાહતના સમાચાર
એસબીઆઈ બાદ આ બેંકે વ્યાજદરોમાં કર્યો ઘટાડો
1 એપ્રિલથી નવા વ્યાજદર થશે લાગુ
0.75 ટકાનો ઘટાડો કર્યા બાદ બેંકના રિટેલ વ્યાજદર ઘટીને 7.25 ટકા થઈ ગયું છે. નવા વ્યાજદર 28 માર્ચથી લાગુ થઈ ગયા છે. નવા ગ્રાહકોને આનો તરત ફાયદો મળશે. જ્યારે વર્તમાન ગ્રાહકોના લોનનું વ્યાજદર લોનની રિસેટ ડેટ પછી લાગુ થશે.
બેંકે તેના નિવેદનમાં કહ્યું, (BRLLR) આરબીઆઈના રેપો રેટથી લિંક્ડ છે અને અર્થવ્યવસ્થાને કોરોના વાયરસથી થવારા નુકસાનથી બચાવવા માટે આરબીઆઈએ
માર્ચના રેપો રેટમાં 0.75 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આ ઘટાડા બાદ રેપો રેટ 5.15 ટકાથી ઘટીને 4.40 ટકા થઈ ગયો છે. આ પછી બેંકોએ પણ વ્યાજદર ઘટાડવાનું શરૂ કરી દીધું છે.
આરબીઆઈની જાહેરાત બાદ દેશની સૌથી મોટી બેંક એસબીઆઈએ પણ રેપો રેટથી જોડાયેલી લોન 0.75 ટકા સસ્તી કરી દીધી છે. એસબીઆઈના નવા રેટ 1 એપ્રિલથી લાગુ થશે. જ્યારે બેંક ઓફ ઈન્ડિયાએ રવિવારે માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ લેન્ડિંગ રેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે. એક વર્ષનું એમસીએલઆર હવે 7.95 ટકા થઈ ગયું છે. આ સાથે જ બેંક ઓફ ઈન્ડિયાના એક્સટર્નલ બેંચમાર્ક લેન્ડિંગ રેટ્સમાં 75 બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો કરવામાં આવ્યો છે. જે ઘટીને 7.25 ટકા થઈ ગયો છે અને 1 એપ્રિલથી લાગુ થશે.