કેન્દ્ર સરકારે થોડાં સમય પહેલાં દેના બેંક અને વિજયા બેંકને બેંક ઓફ બરોડામાં મર્જ કરી દીધી હતી, 1 માર્ચથી વિજયા બેંક અને દેના બેંકના આઈએફએસસી કોડ કામ કરશે નહીં.
આ સરકારી બેંકમાં 1 માર્ચથી થવાનો છે બદલાવ
જો તમારું ખાતું હોય તો જાણી લો નહીંતર થશો હેરાન
1 માર્ચથી વિજયા બેંક અને દેના બેંકના આઈએફએસસી કોડ કામ કરશે નહીં
જો તમારું પણ બેંક ઓફ બરોડામાં ખાતું છે, તો તમારા માટે એક મોટા સમાચાર છે. 1 માર્ચ 2021 પછી, તમે ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરી શકશો નહીં. તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે થોડાં સમય પહેલાં દેના બેંક અને વિજયા બેંકને બીઓબીમાં મર્જ કરી દીધી હતી, ત્યારબાદ આ બંને બેંકોના ગ્રાહકો બેંક ઓફ બરોડાના ગ્રાહક બન્યા હતા. 1 માર્ચથી વિજયા બેંક અને દેના બેંકના આઈએફએસસી કોડ કામ કરશે નહીં. એટલે કે, ગ્રાહકોને નવા આઈએફએસસી કોડની જરૂર પડશે.
આઈએફએસસી કોડ બદલ્યા પછી ગ્રાહકો ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કરી શકશે નહીં. બેંક ઓફ બરોડા (બીઓબી)એ આ માહિતી સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આપી છે અને કહ્યું છે કે ઈ-વિજયા અને ઈ-દેના આઈએફએસસી કોડ 1 માર્ચ 2021થી બંધ કરવામાં આવશે.
ગ્રાહકો પર શું અસર થશે?
આઈએફએસસી કોડમાં ફેરફારથી ખાતા ધારકો પર અસર થશે. તમને જણાવી દઈએ કે ઓનલાઇન ટ્રાન્ઝેક્શન માટે તમારે બેંકના આઈએફએસસી કોડની સાથે બેંક ખાતા નંબર એડ કરવું પડશે. જેથી તમે ફટાફટ નવો આઈએફએસસી કોડ જાણી લો નહીંતર 1 ફેબ્રુઆરીથી પૈસા ટ્રાન્સફર નહીં કરી શકો.
જો તમારે બેંકમાં જવું નથી, તો તમે ઘરે બેઠો નવો આઈએફએસસી કોડ મેળવી શકો છો, જેના માટે ટોલ ફ્રી નંબર 1800 258 1700 પર ફોન કરીને આઈએફએસસી કોડ લઈ શકો છો. આ સિવાયખાતાધારકો મેસેજ દ્વારા નવો કોડ મેળવી શકે છે. આ માટે ગ્રાહકએ MIGR લખીને સ્પેસ આપી જૂના ખાતાના છેલ્લા 4 અંક લખીને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી 8422009988 પર લખીને મોકલવા.
શું હોય છે IFSC Code
ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દરમિયાન આઈએફએસસી કોડનો ઉપયોગ થાય છે. આ 11 અંકનો કોડ છે. જેમાં પ્રારંભિક 4 અક્ષરો બેંકનું નામ સૂચવે છે. બેંકની શાખા આઈએફએસસી કોડ દ્વારા ટ્રેક કરવામાં આવે છે. આઈએફએસસી કોડ ગ્રાહકની પાસબુક અને ચેકબુક પર લખેલો હોય છે.
બેંક ઓફ બરોડાએ એમ પણ કહ્યું છે કે ગ્રાહકો તેમની બેંક શાખામાંથી 31 માર્ચ 2021 સુધીમાં નવા એમઆઈસીઆર કોડ સાથે ચેક બુક મેળવી શકે છે. આ સિવાય તમે નેટ બેન્કિંગ / મોબાઇલ બેન્કિંગથી નવી ચેક બુક માટે પણ અરજી કરી શકો છો.