કેન્દ્ર પંજાબ નેશનલ બેંક, યૂનાઇટેડ બેંક ઑફ ઇન્ડિયા અને ઓરિયન્ટલ બેંક ઑફ કોમર્સના વિલય બાદ બનનાર એકમ માટે નવું નામ અને લોગોની જાહેરાત કરશે. બેંકના એક અધિકારીએ શુક્રવારે આ બાબતે જાણકારી આપી છે.
સ્ટેટ બેંક બાદ દેશની બીજી સૌથી મોટી બેંક હશે જેનો કુલ વેપાર કદ 18 લાખ કરોડ રૂપિયાનું હશે
સરકાર વિલય બાદ બનનારું એકમનું નવું નામ અને લોગોની જાહેરાત કરશે
ત્રણ સાર્વજનિક ક્ષેત્રની બેંકોમાં ઉચ્ચ સ્તર પર ચર્ચા થઇ છે
નવું એકમ ભારતીય સ્ટેટ બેંક બાદ દેશની બીજી સૌથી મોટી બેંક હશે જેનો કુલ વેપાર કદ 18 લાખ કરોડ રૂપિયાનું હશે. જણાવી દઇએ કે ગત વર્ષે સરકારે PNBમાં અન્ય બેં બેંકોમાં વિલયનો નિર્ણય લીધો હતો. આ મર્જર બાદ પીએનબી દેશની બીજી સૌથી મોટી સરકારી બેંક બની જશે.
1 એપ્રિલથી ઑપરેશનમાં આવશે નવી બેંક
યૂનાઇટેડ બેંક ઑફ ઇન્ડિયાના એક અધિકારીએ જણાવ્યું કે સરકાર વિલય બાદ બનનારું એકમનું નવું નામ અને લોગોની જાહેરાત કરશે. આ એક એપ્રિલ 2020થી પરિચાલનમાં આવશે. એને કહ્યું કે નવી બેંકની ઓળખ બનાવવાને લઇને લોગો ખૂબ મહત્વપૂર્ણ છે. આ માટે ત્રણ સાર્વજનિક ક્ષેત્રની બેંકોમાં ઉચ્ચ સ્તર પર ચર્ચા થઇ છે.
અધિકારીએ કહ્યું કે ત્રણ બેંકોની પ્રક્રિયાઓના માનકીકૃત બનાવવા અને તાલમેળ બેસાડવાને લઇને 34 સમિતીઓ બનાવી હતી. સમિતિઓએ સંબંધિત નિદેશક મંડળોને પોતાનો રિપોર્ટ પહેલા જ સોંપી દીધો હતો.
વિલય બાદ 1 લાખ થશે કર્મચારીઓની સંખ્યા
એમને કહ્યું પ્રમુખ બેંક પીએનબીએ સલાહકાર Ernst & Young (E&Y) નિયુક્ત કર્યા છે જે માનક અને તાલમેળ બેસાડવા માટે દેખરેખ કરશે. એમાં માનવ સંસાધન, સૉફ્ટવેર, ઉત્પાદ અને સેવાઓથી જોડાયેલ મામલા સામેલ છે. અધિકારી અનુસાર વિલય બાદ બનનારા એકમમાં સંયુક્ત રૂપથી કર્મચારીઓની સંખ્યા 1 લાખ થશે.
ગ્રાહકો પર શું પડશે અસર?
ગ્રાહકોને નવું અકાઉન્ટ નંબર અને કસ્ટમર આઇડી મળી શકે છે.
જે ગ્રાહકોને નવું અકાઉન્ટ નંબર અથવા IFSC કોડ મળશે, એમને નવી ડીટેલ્સ ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ, વીમા કંપનીઓ, મ્યુચ્યુલ ફંડ, નેશનલ પેન્શન સ્કીમ વગેરેમાં અપડેટ કરાવવી પડશે.
SIP અને લોન EMI માટે ગ્રાહકોને નવા ઇન્ટ્રક્શન ફોર્મ ભરવું પડી શકે છે.
નવી ચેકબુક, ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ થઇ શકે છે.
ફિક્સ્ડ ડિપૉઝીટ અથવા રેકરિંગ ડિપૉઝીટ પર મળતું વ્યાજમાં કોઇ ફેરફાર થશે.
જે વ્યાજદરો પર વ્હીકલ લોન, હોમ લોન, પર્સનલ લોન વગેરે લીધા હોય એમા કોઇ ફેરફાર થશે નહીં.
કેટલીક શાખાઓ બંધ થઇ શકે છે, એટલા માટે ગ્રાહકોને નવી શાખાઓમાં જવું પડી શકે છે.
મર્જર બાદ એન્ટિટીને તમામ ઇલેક્ટ્રૉનિક ક્લીયરિંગ સર્વિસ નિર્દેશો અને પોસ્ટ ડેટેડ ચેકને ક્લીયર કરવું પડશે.