મોટી રકમની લોન લઇને વિજેશ ભાગવું હવે સરળ નહીં હે નાણા મંત્રાલયે એક એવા પ્રસ્તાવ પર વિચાર કરી રહ્યું છે જે હેઠળ લોન આપતાં પહેલા બેંક લોન લેનાર પાસેથી પાસપોર્ટ ડિટેલ્સ માંગશે. બધી સરકાકી બેંકો પર આ નિયમ લાગૂ થશે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે લોન અકાઉન્ટ પર શંકા જતાં જ બેંક એલર્ટ જારી કરશે જેનાથી ડિફોલ્ટરને દેશ છોડીને ભાગવાથી રોકવામાં આવશે. 50 કરોડથી વધારે લોન માટે પાસપોર્ટની કોપી આપવી પડશે. આ કોપી કંપનીના પ્રોમોટર ટોપ મેનેજમેન્ટને આપશે.
માનવામાં આવી રહ્યું છે કે સરકાર આ માટે આવતા સપ્તાહ સુધી અંતિમ આદેશ જારી કરી શકે છે. સરકારનું માનવું છે કે એનાથી છેતરપિંડી રોકવામાં મદદ મળશે અને અપરાધી બેંક અને તપાસ એજન્સીઓથી બચવા માટે દેશમાંથી ફરાર થઇ શકશે નહીં. જ્વેલર્સ નીરવ મોદી એમના મામા મેહુલ ચોક્સી 12 622 કરોડ રૂપિયાની કથિત પીએનબી ફ્રોડમાં મુખ્ય આરોપી છે. ફ્રોડની માહિતી સાર્વજનિક થતાં પહેલા બંને દેશમાંથી ફરાર થઇ ગયા હતા.
સરકાર કિંગફિશર એરલાયન્સના માલિક વિજય માલ્યાને પણ લોન ડિફોલ્ટરની બાબતે બ્રિટેનથી દેશ લાવવાનો પ્રયત્ન કરી રહી છે. જેમાં એમને હજુ સુધી કોઇ સફળતા મળી નથી. માલ્યાને મની લોન્ડ્રિંગના આરોપોને લઇને પૂછપરછ કરવાની છે. પૂર્વ IPL કમિશ્નર લલિત મોદીને પણ દેશ લાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ દરેક આરોપીઓનો દાવો છે કે એમને કોઇ ભૂલ કરી નથી. સરકારી અધિકારીનો દાવો છે કે પાસપોર્ટ ડિટે હોવા પર એવા લોકોનું દેશમાંથી ફરાર થવાનો પ્રયત્ન કરશે નહીં. પાસપોર્ટની કોપી માંગવાથી પ્રમોટરો પર વધારે દબાણ વધશે. એમને ખબહ હશે કે દેશથી ભાગવાનો પ્રયત્ન કરવા પર એમને એરપોર્ટ રોકવામાં આવી શકે છે.