લોકર અંગે બેંકની જવાબદારીઓ સાથે સંબંધિત સુપ્રીમ કોર્ટના આદેશ બાદ RBIએ નવા નિયમો જારી કર્યા છે. જે 1 જાન્યુઆરી, 2022થી અમલમાં આવી ગયા છે.
1 જાન્યુઆરી 2022થી લાગુ થયા છે નવા નિયમો
RBIએ જાહેર કરી હતી ગાઈડલાઈન
બેન્ક લોકર હોય તો ખાસ વાંચી લેજો
જ્વેલરી જેવી મોંઘી વસ્તુઓને ચોરીથી બચાવવા માટે લોકો તેને બેંક લોકરમાં રાખે છે. પરંતુ હવે આ લોકરોમાં ઘરફોડ ચોરીના બનાવો વધી રહ્યા છે. બેંક તરત જ આવી ઘટનાઓથી હાથ ઉંચા કરી લે છે. આવા કિસ્સામાં એવું કહેવામાં આવે છે કે લોકરની અંદર રાખેલા સામાન માટે બેંક જવાબદાર નથી. બેંકને પણ ખબર નથી કે તેમાં શું રાખવામાં આવ્યું છે.
RBIએ જાહેર કર્યા છે તેના માટે નિયમો
આવા કિસ્સાઓમાં, જ્યારે બેંક જવાબદારી લેવાનો ઇનકાર કરે છે, ત્યારે ગ્રાહક પાસે કાયદાકીય લડાઈ લડવાનો વિકલ્પ જ બાકી રહે છે. પરંતુ હવે લોકરમાંથી સામાન ખોવાઈ જવા અથવા નુકસાન થવાના કિસ્સામાં બેંકો તેમની જવાબદારીમાંથી છટકી શકશે નહીં. આ અંગે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ RBIએ નવા નિયમો જારી કર્યા છે. જે 1 જાન્યુઆરી, 2022 થી લાગુ થયા છે.
શું છે લોકર સાથે જોડાયેલી નવા નિયમો?
આ નિયમો અનુસાર, આગચંપી, ચોરી, મકાન ધરાશાયી અથવા કર્મચારીઓની છેતરપિંડીના કિસ્સામાં, બેંકોએ લોકરના વાર્ષિક ભાડાના 100 ગણા નુકસાનની ભરપાઈ કરવી પડશે. આરબીઆઈએ લોકર મેનેજમેન્ટને લઈને તમામ બેંકો માટે સૂચનાઓ જારી કરી છે. નવા નિર્દેશ હાલના લોકર અને બેંકોની પાસેના સામાનની સલામત કસ્ટડી બંનેને પર લાગુ પડે છે.