રિઝર્વ બેંક તરફથી જાહેર નોટીફિકેશન મુજબ બેંકમાં લૉકર લેનારા ગ્રાહકોની ફરીયાદ પર રિઝર્વ બેંકે નિયમોમાં ફેરફાર કર્યો છે.
RBIએ બદલ્યાં બેંક લોકર સાથે જોડાયેલા નિયમો
જો હવે લોકરમાંથી કશુ ચોરી થયુ તો મળશે વળતર
ગ્રાહકોને લૉકર ભાડાના 100 ગણુ સુધીનુ વળતર આપવામાં આવશે
આરબીઆઈએ બેંક લોકરના નિયમોમાં કર્યો ફેરફાર
ભારતીય રિઝર્વ બેંક તરફથી ગ્રાહકોની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને નિયમોમાં ફેરફાર કરવામાં આવે છે. આ વખતે ફરીથી આરબીઆઈએ બેંક લૉકર સાથે સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યો છે. જો તમે કોઈ બેંકમાં લોકર લીધુ છે અને તેમાં તમારું સોનુ-ચાંદી અથવા અન્ય કિમતી સામાન રાખ્યો છે તો આ બાબત ખાસ ધ્યાનમાં રાખો.
ગ્રાહક વળતર મેળવવાનો હકદાર
રિઝર્વ બેંક તરફથી જાહેર નોટીફિકેશન મુજબ બેંકમાં લોકર લેનારા ગ્રાહકોની ફરીયાદ પર રિઝર્વ બેંકે નિયમોમાં ફેરફાર કર્યો છે. વારંવાર ગ્રાહકો તરફથી બેંક લોકર્સમાં ચોરીની ફરીયાદો આવતી રહે છે. પરંતુ હવે લૉકર સાથે કશુ પણ ચોરી થયુ તો સંબંધિત બેંક તરફથી ગ્રાહકોને લૉકર ભાડાના 100 ગણુ સુધીનુ વળતર આપવામાં આવશે.
વેઈટિંગ લિસ્ટ નંબર ડિસ્પ્લે પર બતાવવો પડશે
ઘણી વખત જોવામાં આવ્યું છે કે બેંક ચોરીની ઘટના પર હાથ અદ્ધર કરી દે છે. ગ્રાહકોને કહી દે છે કે તેમાં તેમની કોઈ પણ પ્રકારની જવાબદારી નથી. આરબીઆઈ તરફથી આપવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે બેંકોને ખાલી લોકરની યાદી, લૉકર માટે વેઈટિંગ લિસ્ટ નંબર ડિસ્પ્લે પર લગાવવો પડશે. જેનાથી લોકર સિસ્ટમમાં વધુ પારદર્શિતા આવશે. આરબીઆઈનુ માનવુ છે કે બેંક તરફથી ગ્રાહકોને અંધારામાં રાખી શકાય નહીં.