RBIના નવા આદેશ અનુસાર જો લોકર લાંબા સમય સુધી નહીં ખોલવામાં આવે તો બેન્કોને લોકર ખોલવાની પરવાનગી આપવામાં આવી છે.
RBIએ જાહેર કર્યા નવા નિયમો
બદલાઈ ગયા બેન્ક લોકરના નિયમો
તમારા માટે નવા નિયમો જાણી લેવા જરૂરી
લોકો પોતાની જ્વેલરી અને અન્ય કિંમતી વસ્તુઓ બેન્ક લોકરમાં મુકે છે. જેથી તેમનો કિમતી સામાન સુરક્ષિત રહે. બેન્કોની તુલનામાં આપણા ઘરોમાં ચોરી થવાની કે ગુમ થવાની સંભાવના વધુ રહે છે. પરંતુ હવે તમારી આ ખાસ સુવિધા પર પણ ગ્રહણ લાગી શકે છે. RBIના નિયમ અનુસાર, એક લાંબા સમયગાળા સુધી તમે લોકરને ન ખોલ્યું તો બેન્ક તમારૂ લોકર તોડી શકે છે.
બેન્કો માટે નવી ગાઈડલાઈન્સ
RBIના સેફ ડિપોઝિટ લોકરના સંબંધમાં સંશોધિત ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. આ નવા દિશાનિર્દેશમાં બેન્કોને લોકર ખોલવાની પરવાનગી આપવામાં આવી છે. જો લોકર લાંબા સમય સુધી ન ખોલવામાં આવ્યું તો ભલે ભાડુ નિયમિત રૂપથી ભરવામાં આવતું હો બેન્કને તમારૂ લોકર ખોલવાનો અધિકાર મળશે.
RBIએ કર્યું સંશોધન
બેન્કિંગ અને પ્રૌદ્યોગિકીના ક્ષેત્રમાં વિવિધ વિકાસ, ઉપભોક્તા ફરિયાદોની પ્રકૃતિ અને બેન્કો અને ભારતીય બેન્ક સંઘથી પ્રાપ્ત પ્રતિક્રિયાને ધ્યાનમાં રાખીને આરબીઆઈએ હાલમાં જ સુરક્ષિત જમા લોકરોના સંબંધમાં પોતાની ગાઈડલાઈન્શમાં સંશોધન કર્યું અને નિષ્ક્રિય બેન્ક લોકરોના સંબંધમાં બેન્કોને નવા નિર્દેશ પણ આપ્યા છે.
બેન્ક તોડી શકે છે લોકર
આરબીઆઈની સંશોધિત ગાઈડલાઈન્સમાં કહેવામાં આવ્યું છે કે બેન્ક લોકરના તોડવા અને લોકરની સામગ્રીને પોતાના નોમિની/ કાયદાકીય ઉત્તરાધિકારીને હસ્તાંતરિત કરવા અથવા પારદર્શી રીતે વસ્તુઓના નિપટારાને સ્વતંત્ર હશે. જો આ 7 વર્ષના સમયગાળા માટે નિષ્ક્રિય રહે છે અને નિયમિત રૂપથી ભાડુ ભરવા પર પણ લોકરના માલિકની જાણકારી ન મેળવી શકાય. પરંતુ સાથે જ જનહિતની રક્ષા કરતા કેન્દ્રીય બેન્કે વિસ્તૃત નિર્દેશ પણ જાહેર કર્યો છે કે કોઈ પણ લોકરને તોડવા પહેલા તેનું પાલન કરવામાં આવે.