જાણકારોના કહેવા અનુસાર મે મહિનાના મધ્યમાં કોરોના પીક પર રહેશે. એવામાં મે મહિનામાં બેંકની સાથે જોડાયેલા કામ માટે ઘરની બહાર નીકળતા પહેલા જાણી લો કયા દિવસોએ બેંક રહેશે બંધ
મે મહિનામાં આટલા દિવસ બેંક રહેશે બંધ
પ્લાન કરી લો તમારા કામ ફટાફટ
મે મહિનાના મધ્યમાં કોરોના પીક પર રહેશે
કોરોનાની બીજી લહેર દેશમાં તબાહી મચાવી રહી છે. દેશના માટે આ વર્ષે મે મહિનાના મધ્ય સુધી કોરોના પીક પર રહેશે તેમ જાણકારોનું કહેવું છે. દેશમાં કોરોના પ્રોટોકોલની સાથે કેટલાક ખાસ નિયમોનું પણ પાલન કરાશે. આ સાથે બેંકોમાં કામને લઈને પણ સમય ઘટાડવાની વાત ચાલી રહી છે. અનેક બેંક ફક્ત 4 કલાક કામ કરી રહી છે.
મે મહિનાના બેંકના કામ પ્લાન કરી લો અત્યારથી
જો તમે મે મહિનામાં બેંકના જરૂરી કામ પેન્ડિંગ રાખ્યા છે તો તમે તેને હાલમાં જ કરી લો તે સારું છે. બેંકની રજાના આધારે તમે ઘરની બહાર નીકળો અને તમારા કામને મેનેજ કરો. મે મહિનામાં ઈદ, અક્ષય તૃતિયા, બુદ્ધ પૂર્ણિમા સહિત અનેક તહેવોરોના કારણે પણ બેંકમાં રજા રહેશે.
દરેક રાજ્યોમાં રજાના નિયમ અલગ અલગ
RBI ની વેબસાઈટના આધારે મે મહિનામાં કુલ 5 દિવસ બેંક બંધ રહેશે. જેમાં શનિવાર અને રવિવારની 7 દિવસની રજાઓ સામેલ નથી. આ રજાઓ સાથે કુલ 12 દિવસ બેંક બંધ રહેશે. જો કે આ સિવાય એવી કેટલીક રજાઓ હોય છે જે સ્થાનિક સ્તરે રાખવામાં આવે છે. દરેક રાજ્યોમાં 5 દિવસની રજા નહીં રહે. તહેવારના મહત્વના આધારે આ રજાઓ અલગ અલગ હોઈ શકે છે.
અહીં જાણો કયા દિવસોએ કયા કારણે બેંકમાં રજા રહેશે
1 May 2021
આ દિવસે મહારાષ્ટ્ર દિવસ છે. આ દિવસને મજૂર દિવસ રીતે ઉજવાય છે. આ કારણે કેટલાક રાજ્યોમાં બેંક બંધ રહેશે. જેમકે કોલકત્તા, કોચ્ચિ, મુંબઈ, નાગપુર, પણજી, પટના, ચેન્નઈ, તિરુવનંતપુરમ, હૈદરાબાદ, ગુવાહાટી, ઈમ્ફાલ, બેંગલુરુ અને બેલાપુર માં રજા રહેશે. 7 May 2021
આ દિવસે જુમાત ઉલ વીદાના કારણે બેંક બંધ રહેશે. રમઝાનની છેલ્લી જુમ્મા નમાજ પઢાશે. આ અવસરે ફક્ત જમ્મુ અને શ્રીનગરમાં બેંક બંધ રહેશે. 13 May 2021
આ દિવસે Id-Ul-Fitr છે. એવામાં આ દિવસે બેલાપુર, જમ્મૂ, કોચ્ચિ, મુંબઈ, નાગપુર, શ્રીનગર અને તિરુવનંતપુરમમાં બેંક બંધ રહેશે. 14 May 2021
આ દિવસે ભગવાન શ્રી પરશુરામ જયંતિ / રમઝાન ઈદ જયંતિ અને અક્ષય તૃતિયા છે. આ દિવસે શુક્રવાર છે. અનેક શહેરોમાં બેંકનું કામકાજ નહીં થઈ શકે. 26 May 2021
આજે બુદ્ધ પૂર્ણિમા છે. આ દિવસે અગરતલા, બેલાપુર, ભોપાલ, ચંડીગઢ, દહેરાદૂન, જમ્મૂ, કાનપુર, કોલકત્તા, લખનઉ, મુબઈ, નાગપુર, કોલકત્તા, લખનઉ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, રાયપુર, રાંચી અને શિમલા તથા શ્રીનગરમાં બેંક બંધ રહેશે.
આ દિવસોમાં પણ નહીં થાય બેંકના કામ
બેંકની રજાઓ સિવાય 8 અને 22 તારીખે બીજો અને ચોથો શનિવાર હોવાથી રજા રહેશે. આ સાથે જ 2, 9, 16, 23 અને 30 મેના રોજ રવિવારની રજા રહેશે.
નોંધ - Bank Holidaysનું લિસ્ટ RBIની વેબસાઈટ અનુસાર છે.