માર્ચના છેલ્લા અઠવાડિયામાં સતત ચાર દિવસ સુધી બેન્કો સાથે જોડાયેલા કામ-કાજ પ્રભાવિત રહેશે. હકીકતે આગામી શનિવાર અને રવિવારે બેન્કોમાં રજા છે ત્યાં જ સોમવાર અને મંગળવારે બેન્ક કર્મચારીઓ હડતાલ પર જઈ રહ્યા છે.
ચાર દિવસ સુધી બેન્ક સાથે જોડાયેલા કામ થશે પ્રભાવિત
શનિવાર અને રવિવારની છે રજાઓ
સોમવારે અને મંગળવારે કર્મચારીઓ કરશે હડતાલ
બેંક સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ હોય તો આજે જ પતાવી લેજો. કારણ કે આવતીકાલથી એટલે કે શનિવારથી સતત ચાર દિવસ સુધી બેંકનું કામકાજ પ્રભાવિત થશે. હકીકતે આવતા શનિવાર અને રવિવારે બેંકમાં રજા છે. આ પછી આગામી સોમવાર અને મંગળવારે બેંક કર્મચારીઓ હડતાળ પર જવાના છે. આ લોકો કેન્દ્ર સરકારની શ્રમિક વિરોધી નીતિઓના વિરોધમાં હડતાળ પર જવાના છે.
બેંક કર્મચારીઓ હડતાળ પર ઉતરશે
દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ કહ્યું છે કે બેંક યુનિયનની હડતાળને કારણે 28 માર્ચ અને 29 માર્ચે બેંકના કામ પર અસર પડશે. તમને જણાવી દઈએ કે આ હડતાલ ખાનગીકરણના વિરોધમાં કરવામાં આવી રહી છે. SBI દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમે અમારા શ્રેષ્ઠ પ્રયત્નો કરીશું કે આ સમય દરમિયાન ગ્રાહકોને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે.
ATMમાંથી કેશ ઉપાડવામાં પણ સમસ્યા થશે
બેંક અધિકારીઓનું કહેવું છે કે જો આ ચાર દિવસ બેંકમાં કોઈ કામ નહીં થાય તો બેંકના ATM પણ ખાલી થઈ શકે છે. તેમનું કહેવું છે કે મહાનગરો અને મોટા શહેરોમાં જ્યાં થર્ડ પાર્ટી કેશ ભરે છે. ત્યાં કોઈ સમસ્યા નહીં હોય. પરંતુ જે એટીએમમાં બેંકનો સ્ટાફ કેશ ભરવાનું કામ કરે છે ત્યાં કેશ ખતમ થઈ શકે છે.
બેંકોના ખાનગીકરણ સામે હડતાળ પાડવામાં આવશે
મહત્વનું છે કે ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન (AIBEA) દ્વારા બે દિવસીય હડતાળની જાહેરાત કરવામાં આવી છે. આ હડતાળમાં બેંક કર્મચારીઓ ભાગ લેશે. બેંકોના ખાનગીકરણના વિરોધમાં આ હડતાળ બોલાવવામાં આવી છે. જો કે, બેંકોએ ખાતરી આપી છે કે હડતાલ દરમિયાન કામને અસર ન થાય તે માટે અમે જરૂરી વ્યવસ્થા કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.