પેટ્રોલ પંપ ખોલવા માટે જો તમારે પાસે રૂપિયા નથી તો ટેન્શન કરવાની જરૂર નથી. કેન્દ્ર સરકારે પોતાના નિયમોને ખત્મ કરીને હવે તેલ કંપનીઓ (ઇન્ડિયન ઑઇલ હિંદુસ્તાન પેટ્રોલિયમ અને ભારત પેટ્રોલિયમ) ના પેટ્રોલ પંપની સ્થાપના કરવા માટે પોતાના નિયમ તૈયાર કરવાની સ્વતંત્રતા આપી છે.
પહેલા આ હતો નિયમ:
જૂના નિયમો અનુસાર પેટ્રોલ પંપની અરજી કરનાર પાસે બેંક ડિપોઝિટમાં 25 લાખ રૂપિયા હોવા જરૂરી હતા. ત્યારે ગ્રામીણ વિસ્તારોમાં પેટ્રોલ પંપ ખોલવા માટે 12 લાખ રૂપિયા હોવા જરૂરી છે.
હવે પોતાની જમીન પણ ના હોવા છતાં પણ ભાડાંની જમીન લઇને પણ અરજી કરી શકે છે.
તમામ પ્રોસેસ થશે ઑનલાઇન:
આ સાથે જ ઑઇલ કંપનીઓએ તમામ પ્રોસેસ ઑનલાઇન કરી દીધી છે જેની તમામ લોકોને જાણકારી સરળતાથી મળી જશે. આ સાથે જ કંપનીઓ ડ્રો પણ ઑનલાઇન કરશે. ડ્રોમાં નામ આવતા સફળ અરજીકર્તા પાસેથી સિક્યોરિટી ડિપોઝિટ હેઠળ 10% રકમ લેવામાં આવશે.
દેશભરમાં ખુલશે 25000 પેટ્રોલ પંપ:
ઑઇલ કંપનીઓ ટૂંક સમયમાં દેશમાં 25000 પેટ્રોલ પંપ ખોલવા જઇ રહી છે જેના હેઠળ અરજી મંગાવવાની પણ શરૂ કરી દેવામાં આવી છે. 4 વર્ષ પછી દેશભરમાં નવા પેટ્રોલ પંપ શરૂ કરવામાં આવશે. જેમાં મોટેભાગે પેટ્રોલ પંપ ગ્રામીણ તથા નાના શહેરોમાં ખોલવામાં આવશે. જેના કારણે આ જગ્યાઓ પર હજારો લોકોને રોજગાર મળશે અને કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવી શકે છે.