ફાટેલી નોટના બદલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ (નોટ રિફંડ) નિયમ 2009માં ઘણાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. ચાલો જાણીએ.
2000 રૂપિયાની ફાટેલી નોટના બદલે બેંક આપે છે આટલા રૂપિયા
આ રીતે બદલાવો ફાટેલી નોટ
નોટની સ્થિતિના આધારે મળશે પૈસા
નિયમો મુજબ, નોટની સ્થિતિના આધારે લોકો દેશભરમાં આરબીઆઈ કાર્યાલયો અને બેંક શાખાઓમાં ખરાબ કે ફાટેલી નોટને બદલાવી શકે છે. જો તમારી પાસે પણ ફાટેલી નોટ છે તો પરેશાન થવાની જરૂર નથી. આજે અમે તમને જણાવી રહ્યાં છીએ કે ક્યાંથી અને કેવી રીતે તમે આ ફાટેલી નોટને બદલાવી શકો છો. બેંક તેના બદલે તમને કેટલા પૈસા પાછા આપે છે.
અહીં બદલાવો ફાટેલી નોટ
તમે તમારી આસપાસ કોઇપણ બેંકની બ્રાન્ચમાં જઈને આ નોટોને બદલી શકો છે. જોકે આ સુવિધા દરેક બેંકમાં ઉપલબ્ધ હોતી નથી. બેંકના કર્મચારી તમારી નોટ બદલવાની ના પાડી શકે નહીં. ભારતીય રિઝર્વ બેંકે પણ બધી બેંકોને સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે તે ફાટેલી નોટને બદલી આપે. સાથે જ તેમણે પોતાની શાખાઓમાં આ સુવિધા વિશે બોર્ડ પણ લગાવવું જોઈએ.
2000ની ફાટેલી નોટના બદલે મળે છે આટલા રૂપિયા
RBIના નિયમો પ્રમાણે નોટ કેટલી ફાટેલી છે તેની સ્થિતિ પર નિર્ભર કરે છે કે કેટલા રૂપિયા મળશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની આધિકારિક વેબસાઇટ પર રહેલી જાણકારી પ્રમાણે 2000 રૂપિયાની નોટનો 88 વર્ગ સેન્ટીમીટર (cm)હોવા પર પૂરા પૈસા મળશે. જ્યારે 44 વર્ગ cm પર અડધાં જ પૈસા મળશે.
બેંકને નથી આપવો પડતો ચાર્જ
ફાટેલી નોટના બદલે બેંક તમારી પાસે કોઈ પ્રકારની ફી લઇ શકતી નથી. આ સર્વિસ બેંક દ્વારા મફત આપવામાં આવે છે. જોકે બેંક એવી નોટોને બદલાવાની ના પાડી શકે છે જે વધુ ખરાબ હોય કે ખરાબ રીતે સળી ગયેલી હોય. જો બેંકને શંકા જાય કે નોટને જાણી જોઈને ફાડવામાં આવી છે તો તેને પણ બદલી આપવામાં નહીં આવે.
કેટલું રિફંડ મળશે?
50 રૂપિયા, 100 રૂપિયા અને 500 રૂપિયાની જૂની નોટના પૂરા પૈસા મેળવવા માટે એ જરૂરી છે કે તમારી નોટ બે ભાગમાં હોય. જેમાંથી એક ભાગ 40 ટકા અથવા તેનાથી વધારે ક્ષેત્રને કવર કરતી હોય.