બેન્કમાં ઓક્સિજન સિલિન્ડર સાથે કર્મચારી કાર્યકરતો હોવાનો વીડિયો વાયરલ થયા બાદ બેન્કે કર્યો ચોંકાવનારો ખુલાસો
બેન્કમાં ઓક્સિજન સિલિન્ડ સાથે પહોંચી ગયો કર્મચારી
સ્થિતિ ગંભીર હોવા છતાં બેન્કમાં અધિકારીઓ હાજર રહેવા દબાણ કરતા હોવાનો આરોપ
હકીકત સામે આવી તો ચોંકી ઉઠ્યા લોકો
કોરોના સંક્રમણમાંથી રિકવર થઈ રહેલા બેંકકર્મીને રજા ન મળતા તે બેન્કમાં ઓક્સિજન સિલિન્ડર (oxygen tank) લઈને પહોંચી ગયો. આવી ચોંકાવનારી ઘટના બોકારોના સેક્ટર 4 માં આવેલી પંજાબ નેશનલ બેન્કની બ્રાન્ચમાં થઈ છે. બેંકકર્મીની આવી હરકતના કારણે ચકચાર મચી ગયો છે. પરંતુ આ ઘટના બાદ બેન્કે જે નિવેદન આપ્યું છે તે જાણીને લોકો ચોંકી ઉઠ્યા છે. બેંકકર્મી આવુ શા માટે કરી રહ્યો છે તેના પરથી પડદો ઉઠતા મામલો કંઈક અલગ દીશામાં જતો રહ્યો છે.
શું છે સમગ્ર મામલો?
અરવિંદ ઓક્સિજન સિલિન્ડર લઈને પોતાની પત્ની અને દિકરા સાથે મંગળવારે બ્રાન્ચ પર પહોંચી ગયા હતા. તેના પરિવારે એક વીડિયો બનાવ્યો છે અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધો છે. આ બાદ વીડિયો વાયર (Video Viral) થયો અને સમગ્ર ઘટના સામે આવી છે. વીડિયોમાં અરવિંદ ઓક્સિજન સિલિન્ડર લગાવીને બેન્ક બ્રાન્ચમાં જોવા મળી રહ્યા છે. તે સીડીઓ દ્વારા એક અધિકારીના કેબીનમાં પહોંચે છે. જ્યાં તેના પરિવાર અને બેંક અધિકારીની વચ્ચે વિવાદ થઈ રહ્યો છે. વીડિયોના અંતમાં જ્યારે અરવિંદને પુછવામાં આવે છે કે તેમને હેરાન કેમ કરવામાં આવી રહ્યા છે તો તે જવાબ આપે છે કે તે બિમાર છે અને તેમની હાલત ખૂબ ગંભીર છે. તેમણે પોતાની વાત જણાવતા કહ્યું કે, "મને ડોક્ટરે કહ્યું છે કે મને રિકવર થતા ઓછામાં ઓછા ત્રણ મહિના લાગશે કારણ કે સંક્રમણ ફેફસાઓ સુધી પહોંચી ગયું છે." તેમણે બેન્ક પાસે તેની ચુકવણી કરવા માટે પણ કહ્યું. આરોપ છે કે તેમનું પેમેન્ટ રોકી દેવામાં આવ્યું છે.
પરિવારના એક સદસ્યએ જણાવ્યું કે, બેન્ક મેનેજરે તેમની રજા મંજૂર ન કરી તો તેમણે રાજીનામુ આપી દીધુ પરંતુ તેમણે રાજીનામું પણ સ્વિકાર ન કર્યું. હવે તે પગાર કાપનાની ઘમકી આપી રહ્યા છે જેના કારણે તેમને ઓક્સિજન સપોર્ટ પર હોવા છતાં કામ કરવું પડી રહ્યું છે.
PNBએ પોતાના નિવેદનમાં જે કહ્યું તે જાણીને ચોંકી ઉઠશો
PNBએ પોતાના નિવેદનમાં કહ્યું કે, "અરવિંદે આ ડ્રામા પોતાના વિરૂદ્ધ તપાસને રોકવા માટે અને NPA લોન એકાઉન્ટ્સની રિકવરીની કાર્યવાહી રોકવા માટે કર્યો છે. અરવિંદ મેનેજરના પદ પર છે અને તેણે રાજીનામું આપ્યું હતું પરંતુ વિભાગની તપાસ ચાલું હોવાના કારણે તેને સ્વીકાર કરવામાં આવ્યું નથી. આ ઉપરાંત અરવિંદ અનુમતી વગર બે વર્ષથી પણ વધુ સમયથી બેન્કમાં હાજર નથી. "