દેશની દરેક બેંકોએ લોન મોરેટોરિયમની સુવિધાનો ફાયદો લેનારા લેણદારો પાસે વસૂલાયેલા વ્યાજ પર વ્યાજને પરત આપવાનું શરૂ કર્યું છે. બેંક અને નાણાકીય સંસ્થાઓ પાસેથી 2 કરોડ રૂપિયા સુધીના ઉધાર લેનારા કે નાના કારોબારીઓને આજથી કેશબેક મળશે. બેંકની તરફથી તેમને પણ રિફંડ મળશે જેઓએ લોન મોરેટોરિયમ સુવિધાનો લાભ લીધો નથી.
બેંક ગ્રાહકો માટે રાહતના સમાચાર
બેંકો આપશે લોન મોરેટોરિયમની સુવિધાનો ફાયદો
આજથી બેંક ખાતેદારોને મોરેટોરિયમનો મળશે લાભ
એક દિવસ પહેલાં જ બેંકોએ લાગૂ કરી હતી વ્યાજ માફીની યોજના
કોરોના સંકટને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ગયા અઠવાડિયે દેશની દરેક બેંક અને નાણાકીય સંસ્થાઓને કહ્યું કે 2 કરોડ રૂપિયા સુધીની લોન લેનારા અને કોરોનામાં સમયસર ઈએમઆઈ ભરનારાને કેશબેક આપવામાં આવે. બેંકોએ 5 નવેમ્બરથી સ્કીમ લાગૂ કરવા કહ્યું હતું. કોરોના સંકટમમાં આરબીઆઈએ માર્ચ 2020માં ઉધાર લેનારાને અસ્થાયી રીતે લોન કે ક્રેડિટ કાર્ડની બાકી માસિક ઈએમઆઈ 3 મહિના સુધી ન ભરવાની છીટ આપી હતી. આ પછી આ મર્યાદા 31 ઓગસ્ટ સુધી વધારી દેવાઈ હતી.
વ્યાજ માફીની યોજનામાં 8 પ્રકારના લોનને કરાયા હતા સામેલ
સુપ્રીમ કોર્ટની દખલ થયા બાદ મોરેટોરિયમ સમયે કમ્પાઉન્ટ ઈન્ટરેસ્ટ અને સિમ્પલ ઈન્ટરેસ્ટનું અંતર પાછું આપવાની મંજૂરી અપાઈ. આ પછી બેંકો અને નોન બેંકિંગ ફાયનાન્શિયલ કંપનીએ 5 નવેમ્બરથી વ્યાજ માફીની યોજનાને લાગૂ કરવાની છે. તેમાં 8 કેટેગરીમાં 2 કરોડ રૂપિયાના ઉધારને સામેલ કરાયા છે. તેમાં એમએસએમઈ લોન, એજ્યુકેશન લોન, હાઉસિંગ લોન, કન્ઝ્યુમર ડ્યૂરેબલ્સ લોન, ક્રેડિટ કાર્ડ લોન, ઓટો લોન, પર્સનલ એન્ડ પ્રોફેશનલ લોન અને કંઝમ્પશન લોન સામેલ છે. તેમાં ખેતી અને તેની સાથે જોડાયેલી લોન સામેલ નથી.
સરકારી ખજાના પર લગભગ 7000 કરોડની અસર
વ્યાજ માફી યોજનાનો ફાયદો એ લોકોને મળશે જેઓએ 29 ફેબ્રુઆરી 2020 સુધી ક્યારેય ડિફોલ્ટ કર્યું નથી. નાણામંત્રાલયના અનુસાર આ સુવિધા 1 માર્ચથી 31 ઓગસ્ટ સુધીના લોન મોરેટોરિયમ પર મળશે. તેનાથી કેન્દ્ર સરકારના ખજાના પર લગભગ 7000 કરોડની અસર થશે. સરકારે કહ્યું કે જો કોઈ લેણદારે મોરેટોરિયમનો લાભ લીધો નથી અને સમયસર ઈએમઆઈ ભરી છે તો બેંક તેમને કેશબેક આપશે. આ સ્કીમમાં એવા ઉધાર લેનારાને 6 મહિનાના સિમ્પલ અને કમ્પાઉન્ડ ઈન્ટરેસ્ટમાં ડિફરન્સનું કેશબેક મળશે.