સાર્વજનિક ક્ષેત્રમાં બેક ઓફ બરોડા દેશભરમાં પોતાની 800 થી 900 શાખાઓ ઘટાડવાની યોજના બનાવી છે. આ પગલું દેના બેંક અને વિજય બેંકના વિલય બાદ ઓપરેશન ક્ષમતામાં સુધારને લઇને ઉઠાવવામાં આવી રહ્યો છે. આ ત્રણેય બેંકોનું વિલિનીકરણ 1 એપ્રિલથી પ્રબાવિત થઇ ગયું છે.
વિજ્યા બેંક અને દેના બેંક સાથે બેંક ઓફ બરોડાનું વિલીનીકરણ થયા બાદ હવે બેંક ઓફ બરોડા પોતાની શાખાઓ ઘટાડવાનો વિચાર કરી રહી છે. ભલે શાખાઓ ઘટે પણ બેંક ખાતાધારકોને કોઈ મુશ્કેલી પડશે નહીં. બેક ઓફ બરોડા દેશભરમાં પોતાની 800થી 900 જેટલી શાખાઓ બંધ કરવાની યોજના બનાવી રહી છે.
આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કે જેથી એક જગ્યાએથી ત્રણેય બેંકોનું સંચાલન થઈ શકે. ત્રણેય શાખાઓ એક જ બેંકમાં હશે જેથી ખાતાધારકોને આમથી તેમ ધક્કા નહીં ખાવા પડે. ઉલ્લેખનીય છે કે, ગત પહેલી એપ્રિલના રોજ ત્રણેય બેંકોનું વિલીનીકરણ થયું હતુ. મહત્વની વાત છે કે, આ થ્રી વે મર્જર બાદ બેંક ઓફ બરોડાની શાખાઓ 9 હજાર 500એ પહોંચી છે.
જ્યારે કર્મચારીઓની સંખ્યા 85 હજારને પાર થઇ ચૂકી છે. જેથી હવે આ SBI અને પંજાબ નેશનલ બેંક બાદ દેશની સૌથી મોટી ત્રીજા નંબરની બેંક બની ગઈ છે. જેનું વાર્ષિક ટર્ન ઓવર પંદર લાખ કરોડ રૂપિયા થઈ ચૂક્યું છે. હાલ આ બેંકો પાસે ખાતાધારકોની સંખ્યા વધીને 12 કરોડ પણ થઈ ચૂકી છે. જેથી હવે ત્રણેય બેંકોને એક જ જગ્યાએથી સંચાલિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.