એક મહિલા પોતાના પતિનું એટીએમમાં ડેબિટ કાર્ડ લઇને રૂપિયા નિકાળવા ગઇ. એટીએમમાંથી 25000 રૂપિયા રોકડ નિકળી નહીં અને પૈસા અકાઉન્ટમાંથી કપાઇ ગયા. આવા મામલામાં મોટા ભાગે બેંક 7 8 દિવસમાં પૈસા અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દે છે પરંતુ આ મામલે SBIએ રિફંડ કરવાની ના પાડી દીધી. મામલો ગ્રાહક ફોરમ સુધી પહોંચ્યો તો એમાં પણ ગ્રાહકને દોષિત માનવામાં આવ્યો. ચલો જાણીએ આ મામલે શું કહે છે નિયમ...
શું છે નિયમ?
ભારતીય સ્ટેટ બેંકનું આ મામલે કહેવું હતું કે ડેબિટ કાર્ડ નોન ટ્રાન્સફરેબલ હોય છે એવામાં કોઇ ફેમિલી મેમ્બર ને પણ આ ઉપયોગ માટે આપવામાં આવી શકે નહીં. આ નિયમનો હવાલો આપતા એસબીઆઇએ મહિલાના અકાઉન્ટમાં 25000 રૂપિયા રિફન્ડ કરવાની ના પાડી દીધી. જે રોકડ નિકળ્યા વગર જ કપાઇ ગઇ હતી. એસબીઆઇનું કહેવું હતું કે મહિલાએ પ્રાઇવેસી અને સુરક્ષા નિયમનો ઉલ્લંઘન કર્યો એટલા માટે એમનો દાવો બને નહીં.
ક્યારેય પણ ના કરશો આ કામ
કાર્ડ પર તમારો પિન નંબર ક્યારેય લખશો નહીં હંમેશા એને યાદ રાખો.
કોઇ પણ વ્યક્તિને તમારો એટીએમ પિન કહેશો નહીં બેંક કર્મચારી કે ફેમિલી મેમ્બર્સને નપણ કાર્ડ આપશો નહીં.