જો તમારા પણ એકથી વધુ બેન્ક એકાઉન્ટ છે તો આ સમાચાર ખાસ વાંચી લેજો. એક કરતા વધુ બેન્કમાં એકાઉન્ટ હોવાથી તમને આર્થિક નુકસાનની સાથે અન્ય નુકસાન પણ થઇ શકે છે. ટેક્સ અને ઈન્વેસ્ટમેન્ટ નિષ્ણાંતો પણ એક ખાતુ રાખવાની સલાહ આપે છે.
શું તમારે એકથી વધુ બેન્કોમાં ખાતા છે તો ચેતી જજો
આર્થિક નુકસાનની સાથે થશે અન્ય નુકસાન
સિંગલ બેન્ક એકાઉન્ટ રાખવાથી રિટર્ન ફાઈલ કરવામાં રહેશે સરળતા
કયા-કયા નુકસાન?
નિષ્ણાંતોનું કહેવુ છે કે સિંગલ બેન્ક એકાઉન્ટ રાખવાથી રિટર્ન ફાઈલ કરવામાં સરળતા પડે છે. આવો જાણીએ એકથી વધુ એકાઉન્ટ રાખવાથી શું-શું નુકસાન થઇ શકે છે. જો તમે એક કરતા વધુ બેન્કોમાં એકાઉન્ટ રાખો છો તો સૌથી પહેલું નુકસાન મેન્ટેનન્સને લઇને થશે. ખરેખર, દરેક બેંકનો અલગ-અલગ મેન્ટેનન્સ ચાર્જ, ડેબિટ કાર્ડ ચાર્જ, SMS ચાર્જ, સર્વિસ ચાર્જ, મિનિમમ બેલેન્સ ચાર્જ હોય છે. એટલેકે જેટલી બેંકોમાં ખાતુ હશે તમારે તેના અલગ-અલગ ચાર્જ ચૂકવવા પડશે. આ સાથે જો મિનિમમ બેલેન્સ મેન્ટેન નહી કરો તો તેના બદલે બેન્ક ત્રણ ગણો ચાર્જ વસૂલે છે.
સિંગલ બેન્ક એકાઉન્ટમાં રિટર્ન ફાઈલ કરવુ સરળ
ટેક્સના નિષ્ણાંતો મુજબ, જો એક બેન્કમાં એકાઉન્ટ છે તો રિટર્ન ફાઈલ કરવામાં સરળતા પડે છે. કારણકે તમારી કમાણીની સંપૂર્ણ માહિતી સિંગલ એકાઉન્ટમાં રહે છે. અલગ-અલગ બેન્ક એકાઉન્ટ રાખવાથી આ ગણતરી વધુ મુશ્કેલ થાય છે. એવામાં ટેક્સ વિભાગ તમને નોટીસ મોકલી શકે છે. આવી સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે આ બજેટમાં નવી સિસ્ટમની જાહેરાત કરી હતી.
કરદાતાઓએ કરવી પડશે ગણતરી
આ નવા નિયમ હેઠળ હવે પગારની આવક સિવાય બીજા સોર્સથી થતી આવક જેમકે ડિવિડન્ડ ઈનકમ, કેપિટલ ગેન ઈનકમ, બેન્ક ડિપોઝીટ વ્યાજ આવક, પોસ્ટ ઓફિસની વ્યાજની આવકની માહિતીથી પહેલાથી ભરેલી હશે. અત્યાર સુધી કરદાતાઓએ તેની અલગથી ગણતરી કરવી પડતી હતી. જેને ઘણી વખત ભૂલી જવાથી પરેશાની થતી હતી. હવે આ તમામ જાણકારી પહેલાથી ભરેલી મળશે. આ માહિતી PAN કાર્ડની મદદથી પ્રાપ્ત કરવામાં આવશે.