સશસ્ત્ર બાંગ્લાદેશ બોર્ડર ગાર્ડના સૈનિકો ભારતીય વિસ્તારના મેઘાલયમાં ઘૂસી ગયા હતા અને મેઘાલયના પશ્ચિમ જયંતિયા હિલ્સ જિલ્લાના ગ્રામીણોને આંતરરાષ્ટ્રીય સરહદ નજીક ચાલી રહેલ સડક નિર્માણના બાંધકામને અટકાવવા ધમકી આપી હતી.
મેઘાલયમાં સરહદ નજીક સડકનું કામ કરતા કોન્ટ્રાક્ટરે બાંગ્લાદેશના સૈનિકો પર ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરવાનો આરોપ મૂક્યો હતો. બીએસએફના પ્રવક્તાએ જણાવ્યું હતું કે કમાન્ડન્ટ લેવલના એક અધિકારી આ ઘટનામાં તપાસ કરી રહ્યા છે.
મેઘાલયના મુક્તાપુર ગામના સચિવ અને સડક નિર્માણ કરાવી રહેલ કોન્ટ્રાક્ટર બી. બુઅમે એવો આક્ષેપ કર્યો છે કે બાંગ્લાદેશ બોર્ડર ગાર્ડના કેટલાક સૈનિકો બાંધકામ સ્થળે ઘૂસી ગયા હતા અને સડકનું કામ અટકાવવા આદેશ કર્યો હતો. મુક્તાપુર ગામમાં આ સડકનું કામ ચાલી રહ્યું છે અને અહીં કોઇ કાંટાળી વાડ કે તારની ઘેરાબંધી નથી.
એવું કહેવાય છે કે બાંગ્લાદેશના સૈનિકો ભારતીય સરહદમાં કોઇ જાતની મંજૂરી વગર ઘૂસી આવ્યા હતા અને સડકનું બાંધકામ અટકાવવા આદેશ કર્યો હતો. આ સ્થળ બાંગ્લાદેશ સાથેની આંતરરાષ્ટ્રીય સરહદથી ૧પ૦ વારના અંતરે આવેલ છે. જે મુક્તાપુર ગામમાં સડક બંધાઇ રહી છે તે સરહદી વિસ્તારનું ગામ છે અને ત્યાં કોઇ પણ પ્રકારનું ફેિન્સંગ નથી.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે જમીન સરહદના સીમાંકન સંબંધિત એક કરાર પર બંને દેશોએ ૬ સપ્ટે., ર૦૧૧ના રોજ હસ્તાક્ષર કર્યા હતા. મેઘાલયમાં ભારત-બાંગ્લાદેશ સરહદ પર વસતા લોકોના કલ્યાણની દેખભાળ કરતી એક સંસ્થા ઇન્ટરનેશનલ બોર્ડર સમન્વય સમિતિએ આ ઘટનાને વખોડી કાઢી છે.