વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે બાંગ્લાદેશના પ્રવાસે જઈ રહ્યા છે, આ પ્રવાસની અસર બંગાળ વિધાનસભા ચૂંટણી પર પણ પડવાની છે ત્યારે પીએમ મોદી બાંગ્લાદેશ પહોંચે તે પહેલા અમુક સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.
પીએમ મોદીનો આજથી બાંગ્લાદેશ પ્રવાસ
આશરે 500 દિવસ બાદ વિદેશ જઈ રહ્યા છે પીએમ મોદી
ઢાકામાં વિદ્યાર્થી સંગઠનો દ્વારા ભારે વિરોધ
પોલીસે બળપ્રયોગ કર્યો
ભારતના પ્રધાનમંત્રી આજથી બે દિવસના બાંગ્લાદેશના પ્રવાસ પર છે. પીએમ મોદી બાંગ્લાદેશ પહોંચે તે પહેલા રાજધાની ઢાકામાં લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. બાંગ્લાદેશ પોલીસે ગુરુવારે વિરોધ કરી રહેલા લોકો પર રબર બુલેટ અને ટિયર ગેસનો છોડ્યા હતા.
પોલીસે ટિયર ગેસ છોડવા પડ્યા
પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે મોટી સંખ્યામાં લોકો ઢાકામાં માર્ચ કરી રહ્યા હતા જેમાં અધિકારીઓ પર પથ્થરબાજી કરવામાં આવી અને ચાર સુરક્ષાકર્મી તેમાં ઇજાગ્રસ્ત પણ થઈ ગયા છે. નુરૂલ ઇસ્લામના નામક પોલીસ અધિકારીએ મીડિયાને જણાવ્યું કે 200 લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો જે બાદ તેમના છૂટા કરવા માટે ટિયર ગેસ છોડવામાં આવી હતી. હિંસા કરવા મામલે 33 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.
વિદ્યાર્થી સંગઠનો કેમ કરી રહ્યા છે વિરોધ?
જોકે વિરોધ કરી રહેલા લોકો દ્વારા કહેવામાં આવ્યું છે કે આ માર્ચમાં 2000 લોકો સામેલ હતા જેમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ હતા. વિરોધ કરી રહેલા લોકોનો આરોપ છે કે પીએમ મોદી બાંગ્લા દેશમાં આવીને ધાર્મિક ટેન્શન ઊભું કરી રહ્યા છે. આ સિવાય ગોધરા કાંડનો પણ વિરોધ કરનારાઓ દ્વારા ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીઓના જે સંગઠનો દ્વારા આ વિરોધ કરવામાં આવ્યો હતો તેના પ્રવક્તા બિન યામીન મોલ્લાએ AFPને આપેલ જાણકારી અનુસાર વિરોધ કરી રહેલા 40 લોકોને ઇજાઓ પહોંચી છે જેમાં 18ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
બાંગ્લાદેશમાં બે મંદિરોમાં પણ જશે પીએમ મોદી
નોંધનીય છે કે પીએમ મોદી બાંગ્લાદેશમાં પહોંચ્યા બાદ બે મંદિરોમાં પણ જવાના છે જે મતુઆ સમુદાય માટે આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે. રાજકીય પંડિતો દ્વારા માનવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી બાંગ્લાદેશના મંદિરમાં દર્શન કરવા જશે તેની સીધી અસર ભારતમાં પશ્ચિમ બંગાળની ચૂંટણી પર પડી શકે છે. બંગાળમાં મતુઆ સમુદાયના વોટથી ભાજપને ફાયદો થઈ શકે છે.