બાંગ્લાદેશ સરકારે કોમિલ્લા શહેરમાં શાંતિપૂર્ણ રીતે દુર્ગાપૂજા સંપન્ન કરાવાની તૈયારીઓ શરુ કરી દીધી છે.
બાંગ્લાદેશમાં આ વખતે દુર્ગાપૂજાને લઈને તડામાર તૈયારીઓ શરુ કરી
ગત વર્ષે આ દુર્ગાપૂજા આયોજનમાં ભારે તણાવભરી સ્થિતિ હતી
જો કે આ વખતે પ્રશાસન અને પોલીસે તમામ પ્રકારની તૈયારીઓે કરી લીધી છે
બાંગ્લાદેશ સરકારે કોમિલ્લા શહેરમાં શાંતિપૂર્ણ રીતે દુર્ગાપૂજા સંપન્ન કરાવાની તૈયારીઓ શરુ કરી દીધી છે. જ્યાં ગત વર્ષે ઉપદ્રવીઓએ કથિત ઈશનિંદાના આરોપમાં પ્રતિમાઓને ખંડિત કરી દીધી હતી. સરકારે આ વર્ષે મંદિરોની અંદર દુર્ગાપૂજા મનાવાની સલાહ આપી છે, જેથી પ્રતિમાઓની વધુ સારી રીતે સુરક્ષા કરી શકાય. કોમિલ્લા જિલ્લાના કલેક્ટર મોહમ્મદ કમરુલ હસને કહ્યું કે, ઉત્સવને શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરાવવા માટે જરુર પગલા ઉઠાવવામાં આવી રહ્યા છે.
તેમણે કહ્યું છે કે, અમે શાંતિપૂર્ણ રીતે દુર્ગાપૂજા સંપન્ન કરાવવાની કોશિશ કરી રહ્યા છીએ. બાંગ્લાદેશ સરકારે સદ્ભાવનાપૂર્ણ માહોલમાં દુર્ગાપૂજા સંપન્ન કરાવવા માટે તમામ જરુરી પગલા ઉઠાવવાના નિર્દેશ આપ્યા છે. દુર્ગાપૂજાના આયોજન માટે સમિતિએ 21 સપ્ટમ્બરે બેઠક બોલાવી છે. આ બેઠકમાં પ્રશાસન અને પોલીસના પ્રતિનિધિઓ ભાગ લેશે.
અધિકારીઓએ જણાવ્યું છે કે, એક ઓક્ટોબરથી શરુ થઈ રહેલા આ ઉત્સવની સુરક્ષા વધારવી અને પ્રશાસન સ્થિતિ પર નજીકથી દેખરેખ રાખી રહી છે. સ્થાનિક સાંસદ એ કે એમ. બહાઉદ્દીન બહારે કહ્યું કે, દુર્ગા પૂજા સમિતિ સાથે ચર્ચા કરી, શાંતિપૂર્ણ રીતે આયોજન કરવા યોગ્ય પગલા ઉઠાવવામાં આવી રહ્યા છે.
ગત વર્ષે થયેલી હિંસા વિશે તેમણે કહ્યું કે, તે સામાજિક સદ્ભાવને બગાડવાનું ષડયંત્ર હતું, પણ આ વખતે તે સફળ નહીં થાય, કારણ કે, આખું પ્રશાસન સતર્ક છે. અમે સૂચન આપીએ છીએ કે, મંદિરની અંદર આયોજીત કરવામાં આવે, જેથી સારામાં સારી સુરક્ષા આપી શકીએ.
સાંસદે જણાવ્યું છે કે, સરકારે જિલ્લા અને આખા દેશના કેટલાય મંદિરોનું સમારકામ કરાવ્યું છે. મંદિરોના જીર્ણોદ્દધાર માટે 25 લાખ ટકા ફાળવવામાં આવ્યા છે.