શું તમે જાણો છો કે દિલ્હીમાં 2 કુતુબમીનાર છે. એક કુતુબમીનારને સમગ્ર દુનિયા ઓળખ છે અને બીજા કુતુબમીનાર 17 મીટર ઉંચો છે. જેને હસ્તશાળ મીનારના નામે ઓળખવામાં આવે છે. આ દિલ્હીના ગ્રામીણ વિસ્તાર હસ્તશાળમાં આવેલો છે. જોકે આ તો વાત થઈ કુતુબમીનારની શું તમે જાણો છો કે ભારતના તાજમહેલ જેવો જ એક આબેહૂબ તાજ બીજા દેશમાં પણ આવેલો છે.? આવો જાણીએ…
વિશ્વની સાત અજાયબીમાંથી એક એવા તાજમહેલની બેઠી કોપી ભારતના જ પડોશી દેશ બાંગ્લાદેશમાં છે. બાંગ્લાદેશની રાજધાની ઢાકાથી 30 કિમી દૂર એક તાજમહેલ આવેલો છે. જેને લોકો ‘ગરીબો કા તાજમહેલ’ તરીકે પણ ઓળખે છે.
તૈયાર થવામાં લાગ્યા 5 વર્ષ:
આ તાજમહેલને બનાવવામાં પાંચ વર્ષનો સમય લાગ્યો હતો. 2008માં આ તાજ બનવાનું શરૂ થયું હતું. આ તાજ બનવામાં 56 મિલિયન ડોલરનો ખર્ચ આવ્યો હતો. બાંગ્લાદેશના એક ધનવાન ફિલ્મમેકરે આ તાજનું નિર્માણ કરાવ્યું છે. અહસાનુલ્લાહ મોની નામના આ ડિરેક્ટરનું કહેવું છે કે બાંગ્લાદેશમાં અનેક લોકોની ઈચ્છા હોય છે કે તેઓ જીવનમાં એકવાર તો તાજમહેલ જુવે. જોકે મોટાભાગના ગરીબ બાંગ્લાદેશી આવું નથી કરી શકતા. આ માટે તેમણે તાજની નકલ બનાવડાવી છે.
160 કિલો પિત્તળનું કરવામાં આવ્યો ઉપયોગ:
ભારત દ્વારા કરવામાં આવેલી તપાસમાં સામે આવ્યુ કે આ ઇમારત તાજમહેલની નકલ છે. આ ઇમારતની સાઇઝ અને ડિઝાઇન ઓરિજનલ તાજમહેન સાથે મળી આવે છે. આ તાજ બનાવવા માટે ઇટલીથી સંગેમરમર અને ગ્રેનાઈટ બેલ્જિયમથી હિરા મગાવવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત તેના ગુંબજને બનાવવામાં 160 કિલો પિત્તળનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ભારતે ઉઠાવી હતી આપત્તિ:
બાંગ્લાદેશમાં આવેલા આ તાજ પર ભારતીય દૂતાવાસે આપત્તિ દર્શાવી હતી. ભારતે આ બાબતે કોપીરાઈટનો મામલો ઉઠાવવાનું પણ કહ્યું હતું. જોકે શરુઆતના વિરોધ પછી ભારતે કોઈ આપત્તિ દર્શાવી નહોતી. ભારતીય હાઈ કમિશને કહ્યું હતું કે નકલી તાજમહેલના કારણે અસલી તાજમહેલ જોવા આવનાર પ્રવાસીઓમાં કોઈ જ ફેર નહિ પડે કારણકે અસલી એ અસલી હોય છે.