રસ્તાઓ પર ફરી એક વાર આર્મીના જવાનો જોવા મળશે. સાથે જ માર્ગો પરની બધી જ ગતિવિધિઓ રોકવા માટે સ્થાનિક પોલીસને પણ રોડ પર ખડકવામાં આવી છે.
23 જુલાઇથી લઈ 5 ઓગસ્ટ સુધી કડક લોકડાઉન
વધુ કેસ વધતાં લેવામાં આવ્યો નિર્ણય
1 જુલાઇથી લોકડાઉન લાગુ પાડવામાં આવ્યું
23 જુલાઇથી લઈ 5 ઓગસ્ટ સુધી કડક લોકડાઉન
બાંગ્લાદેશમાં કોરોના મહામારીમાં ફેલાયેલ વધુ સંક્રમણને રોકવા માટે અત્યાર સુધીમાં અત્યાર સુધીનું સૌથી ગંભીર રાષ્ટ્રવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી છે. ન્યૂઝ રિપોર્ટ અનુસાર બુધવારે બાંગ્લાદેશમાં બકરી ઈદ પર છૂટછાટ આપ્યા બાદ અધિકારીઓએ 23 જુલાઇથી લઈ 5 ઓગસ્ટ સુધી કડક લોકડાઉન લેવાનો નિર્ણય લીધો છે. બાંગ્લાદેશના રસ્તાઓ પર ફરી એક વાર આર્મીના જવાનો જોવા મળશે. સાથે જ માર્ગો પરની બધી જ ગતિવિધિઓ રોકવા માટે સ્થાનિક પોલીસને પણ રોડ પર ખડકવામાં આવી છે. એક પોલીસ અધિકારીએ શુક્રવારે રાજધાની ઢાકામાં કહ્યું કે જ્યારે ઘણી અવશ્યકતા હશે ત્યારે જ લોકોને બહાર જવા દેવામાં આવશે.
વધુ કેસ વધતાં લેવામાં આવ્યો નિર્ણય
લોકડાઉનમાં સંપૂર્ણપણે સાર્વજનિક પરિવહન સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. આ કારણે રાજધાની અને તેની આસપાસના અન્ય શહેરોમાં ઈદ પર પોતાના વતને જનાર કેટલાય લોકો આ લોકડાઉનમાં ફસાઈ ગયા છે. આટલું જ નહીં તે દેશની રાજધાની સહિત ઘણા દેશોમાં વતનથી કામના સ્થળે જવા માટે ઘણી લાઈનો લાગી છે. વધુમાં તેમણે કહ્યું કે આ દરમિયાન દેશમાં બધા જ ધંધા વેપાર બંધ રહેશે.
1 જુલાઇથી લોકડાઉન લાગુ પાડવામાં આવ્યું
કોરોના મહામારીમાં સતત વધતાં કેસો સામે બાંગ્લાદેશમાં 1 જુલાઇથી લોકડાઉન લાગુ પાડવામાં આવ્યું હતું. ભારત પણ આ મુશ્કેલ ઘડીમાં બાંગ્લાદેશની મદદે આવ્યું. રેલમંત્રીએ કહ્યું કે આપણી સંસ્કૃતિ વસુધૈવ કુટુંબકમને ધ્યાનમરાયા રાખતા પીએમ નરેન્દ્ર મોદીની લીડરશીપ હેઠળ ભારતીય રેલવે કોરોના વાયરસ મહામારી સામે માનવતાને મદદ માટે કામ કરી રહી છે. આજે સવારે પહેલી ઑક્સીજન એક્સપ્રેસ 200 મેટ્રિક ટન લિક્વિડ મેડિકલ ઑક્સીજન લઈને ઑક્સીજન એક્સપ્રેસ બાંગ્લાદેશ માટે રવાના થઈ છે.