બાંગ્લાદેશી ક્રિકેટ ટીમના ભારત પ્રવાસ પર સંશયના વાદળો છવાયેલા છે. બાંગ્લાદેશી ક્રિકેટરોએ ક્રિકેટનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે. તેમનું કહેવું છે કે, જ્યાં સુધી તેમની માગો નથી પૂર્ણ કરવામાં આવતી ત્યાં સુધી તેઓ કોઇપણ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ભાગ લેશે નહીં.
બાંગ્લાદેશી ક્રિકેટ ટીમના ભારત પ્રવાસ થઇ શકે રદ્દ
બાંગ્લાદેશી ક્રિકેટરોએ કર્યો બહિષ્કાર
જ્યાં સુધી માગ ન સંતોષાય ત્યાં સુધી ટૂર્નામેન્ટમાં નહીં લે ભાગ
નોંધનીય છે કે, તેમના આ બહિષ્કારની સીધી જ અસર અત્યારે બાંગ્લાદેશમાં ચાલતી નેશનલ ક્રિકેટ લીગ પર પણ થઇ શકે છે, આ સાથે આવતા મહિને બાંગ્લાદેશની ટીમ ભારત પ્રવાસે આવાની હતી તેના પર પણ સંકટના વાદળો છવાયેલા છે. કહેવામાં આવી રહ્યું છે કે બાંગ્લાદેશના ખેલાડીઓએ 11 ડિમાન્ડ કરી છે, જેમાંથી એક BCB એ ગયા મહિને બાંગ્લાદેશ પ્રીમિયર લીગને ફ્રેન્ચાઈઝ મોડલ ન રાખવાનો નિર્ણય કર્યો તે છે.
પ્લેયર્સની 11 માગ
ખેલાડીઓએ પોતાની માગની લિસ્ટ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને પકડાવી દીધી છે. જેમાં કુલ 11 માગ કરવામાં આવી છે. જેમાં ફ્રેંન્ચાઇઝી મોડલને ફરી લાવવાની માગ કરાયેલી છે. ક્રિકઇન્ફોના રિપોર્ટ મુજબ, ખેલાડીઓ આ કારણે બોર્ડની ફ્રેન્ચાઇઝી આધારિત મોડલને સમાપ્ત કરવાના વિરોધમાં ઉતર્યા હતા કારણ કે, તેનાથી તેમની કમાણી પર સીધી અસર પડે છે.
આ કારણે નારજગીમાં થયો વધારો
ખેલાડીઓની નારજગી તે સમયે વધી ગઇ જ્યારે બોર્ડે આ મહીને શરુ કરેલ ફર્સ્ટ ક્લાસ સ્પર્ધાની મેચ ફીમાં પણ કોઇ વધારો કર્યો નથી. જેના કારણે તમામ ખેલાડીઓના વિરોધના સૂર ઉઠ્યા છે.
ક્રિકેટરોને કેપ્ટન શાકિબનો સપોર્ટ
કપ્તાન શાકિબ અલ હસને પણ બોર્ડના આ વર્તન માટે નારાજગી વ્યક્ત કરી છે. હસને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ખેલાડીઓ પર દબાણ લાદવામાં આવી રહ્યું છે અને તેમની સાથે ઉત્તમ વ્યવહાર કરવો જોઇએ.