બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે (BCB) આવતા મહિને કોલકત્તાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે ડે-નાઇટ ટેસ્ટ રમવા માટે સંમતિ આપી છે. બાંગ્લાદેશ ટીમના કોચ રસેલ ડોમિંગોએ કહ્યું કે, 'ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે ભારત સામે એક મોટી મેચ રમાશે. આ એક શાનદાર તક છે. ભારતે પણ અત્યાર સુધીમાં ક્યારેય ડે-નાઇટ ટેસ્ટ રમી નથી. આ બંને ટીમો માટે નવું છે અને બંનેને એકબીજાની નજીક લાવશે. કોલકત્તા ટેસ્ટ 22 નવેમ્બરથી રમાશે.
કોલકત્તાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે રમાશે ડે-નાઇટ ટેસ્ટ
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડની લીલીઝંડી
સૌરવ ગાંગુલીએ વિરાટ કોહલીનો માન્યો આભાર
આ ભારતની પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ મેચ હશે. આ સાથે જ, ભારતમાં આ પ્રથમ ડે-નાઇટ ટેસ્ટ રમવામાં આવશે. ભારતીય ટીમ જોકે ડે-નાઇટ ટેસ્ટ મેચ માટે તૈયાર નહોતી. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ બીસીસીઆઈ અધ્યક્ષ પદ સંભાળ્યા પછી કેપ્ટન વિરાટ કોહલીને ડે-નાઇટ ટેસ્ટ રમવા માટે રાજી કરવામાં આવ્યો. આ પછી, બોલ બીસીબીની કોર્ટમાં ગયો. બીસીબીએ મંગળવારે બીસીસીઆઈના પ્રસ્તાવને સ્વીકાર્યો.
પહેલેથી જ ગાંગુલીએ પિંક બોલ ક્રિકેટનો લીધો પક્ષ
ગાંગુલીએ હંમેશા પિંક બોલ ક્રિકેટનો પક્ષ લીધો છે. તે 2016-17 માં જ્યાં સુધી ટેકનિકલ સમિતિના સભ્ય હતા. ત્યારે તેમણે સ્થાનિક ક્રિકેટમાં પણ પિંક બોલના ઉપયોગની ભલામણ કરી હતી ગાંગુલીએ તે સમયે પણ ડે-નાઇટ મેચની વકીલાત કરી હતી.
બુધવારે બાંગ્લાદેશી ટીમ આવી પહોંચશે ભારત
ગાંગુલીનો મત છે કે ટેસ્ટ મેચથી ટેસ્ટ ક્રિકેટને વધુને વધુ દર્શકો પ્રાપ્ત થશે. તાજેતરમાં દક્ષિણ આફ્રિકાની સાથે રાંચીમાં રમાયેલ ત્રીજા ટેસ્ટ મેચ પછી ભારતીય કેપ્ટન કોહલીએ દર્શકોની સંખ્યાને લઇને નારાજગી પ્રગટ કરી હતી, કોહલીએ ત્યારબાદ ભારતમાં પાંચ ટેસ્ટ સેન્ટર બનાવવાની પણ વાત કરી હતી. બાંગ્લાદેશી ટીમ બુધવારના રોજ ભારત આવી પહોંચશે.
ગાંગુલીએ માન્યો આભાર
ગાંગુલીએ ખાનગી ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે, આ એક સારી શરૂઆત છે. ક્રિકેટને પ્રોત્સાહન આપવાની જરૂર છે અને હું મારી ટીમે તેના માટે ખાસ મહેનત કરી છે, અમે વિરાટના પણ આભારી છીએ તેના માટે તે તૈયાર થયો