માનવામાં આવી રહ્યું છે કે નવ મહિનાની બાળકીનું મોત ભુખના કારણે થયું છે.
બંધ ઘરમાંથી મળી આવ્યા ચાર લોકોના મૃતદેહ
9 માસની બાળકીનું ભૂખથી મોત
અઢી મહિનાની બાળકીની સ્થિતિ ગંભીર
કર્ણાટકના બેંગ્લોરમાંથી એક દુઃખદ ધટના સામે આવી છે. અહીં એક મકાનમાં પાંચ લોકોની લાશો મળવાથી સનસની ફેલાઈ ગઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે લાશો ઘણા દિવસો જૂની હતી. પોલીસે જણાવ્યા અનુસાર મરનાર લોકોમાં એક નવ મહિનાની બાળકી પણ હતી.
અઢી મહિનાની બાળકી મળી આવી
આ ઉપરાંત એક અઢી મહિનાની બાળકી ઘરમાંથી જીવતી મળી આવી છે. પરંતુ બાળકીની સ્થિતિ ખૂબ જ ગંભીર છે. માનવામાં આવી રહ્યું છે કે બાળકી ચારથી પાંચ દિવસથી ભૂખી છે.
બંધ રૂમમાં હતા મૃતદેહ
પોલીસે જણાવ્યું કે ઘરમાં ચાર લોકોએ અલગ અલગ રૂમમાં પોતાને બંધ કરી લીધા હતા અને ફાંસી લગાવી દીધી. દરેકના શબ ફાંસીએ લટકેલા મળી આવ્યા હતા. ત્યાં જ નવ મહિનાની બાળકીનું શબ બેડ પર મળી આવ્યું હતું. માનવામાં આવી રહ્યું છે કે બાળકીનું મોત ભૂખના કારણે થયું છે. હાલ પોલીસ આ મામલાની ગુથ્થીને સુલજાવવામાં લાગી ગઈ છે.