બનાસકાંઠાના ટોટાણા આશ્રમના સંતશ્રી સદારામ બાપુ દેવલોક પામ્યા છે. સદારામ બાપુના લાંબા સમયથી બિમાર હતા. તેમણે કાંકરેજના ટોટાણા ખાતે અંતિમ શ્વાસ લીધા. તેમનો વ્યસન મુક્તિ મુદ્દે સદારામ બાપુનો ફાળો મહત્વનો રહ્યો છે.
સદારામ બાપુની નાજુક તબિયત બાદ તેમનું અવાસન થયું છે. તેમની સારવાર ચાલી રહી હતી. ત્યારે હાલ લાંબા સમયથી બિમાર સદારામ બાપુ દેવલોક પામ્યા છે.
મહત્વનું છે કે, અગાઉ ઠાકોર સમાજના સંતશ્રી સદારામ બાપુના અવસાનની અફવા ફેલાઇ હતી. જેને લઇને આશ્રમમાં ભક્તોના ટોળા એકત્રિત થયા હતા. જોકે હવે તેમનું બિમારી બાદ નિધન થયું છે.
સંતશ્રી સદારામ બાપુ કાંકરેજ તાલુકામાં નહી પરંતુ સમગ્ર ગુજરાતમાં ઓલિયા તરીકે પુજાય છે. લોકોની સેવાની સાથે સાથે પ્રભુ ભકિત પણ કરે છે. સતત ભકિતમાં લીન રહેતો ઓલિયો એક ઠાકોર સમાજની નહી તેની સાથે બીજી તમામ સમાજોમાં આસ્થા અને શ્રધ્ધાનુ કેન્દ્ર છે.