બનાસકાંઠાના લાખણી પંથકના કેટલાક ગામમાં વરસાદી છાંટા પડતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. અચાનક આવેલા વાતવરણમાં પલટાને કારણે માવઠાની અસર હવે વર્તાઈ રહી છે. આ માવઠાને કારણે રવી પાકને પણ ભારે નુકસાન થવાની ભીતી હાલ સેવાઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ હાલમાં થોડું ઓછું થયું છે પરંતુ હવામાન વિભાગે ઠંડી વધવાને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધી શકવાની આગાહી કરી છે. ઠંડીની સાથે સાથે પવનની ગતિ પણ ભારે રહેશે તેવું હવામાન ખાતાએ જણાવ્યું છે.
#Banaskantha
થરાદના લાખણી પંથકના કેટલાક ગામોમાં વરસાદી છાંટા
અચાનક વાતવરણ પલટાના કારણે માવઠાની અસર
માવઠાથી રવીપાકને નુક્સાન થવાની ભીતિ
વાતાવરણમાં પલટાના કારણે જગતનો તાત ચિંતિત #Rainfallpic.twitter.com/1zCabl4jOh
જ્યારે બીજી બાજુ ઠંડીની સાથે ગુજરાતના કેટલાંક જિલ્લાઓમાં વરસાદની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં કેટલાંક જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગનું માનીએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. જેનાં કારણે બનાસકાંઠા કચ્છમાં વરસાદી છાંટા પડવાની શક્યતા છે.
ત્યારે આજરોજ વહેલી સવારે બનાસકાંઠાના થરાદ તાલુકાના લાખણી પંથકમાં વરસાદી છાંટા પડતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. વાતાવરણે બદલેલા અચાનક મિજાજને પગલે આગામી દિવસોમાં માવઠું થવાની સંભાવના સેવાઇ હતી. જો કે આ પ્રકારના વાતાવરણને પગલે રવી પાકને નુકસાન થવાની ભીંતિ સર્જાઇ છે.
તાલાળા અને અમરેલીના ગ્રામ્ય પંથકોમાં પડ્યો હતો કમોસમી વરસાદ
ધામલવા કોડીદ્રા માથાસૂર્યા માલજીનજવા સહિતના ગામોમાં વરસાદ ખાબક્યો છે. મગફળી સહિતના પાકોને નુકશાન થયું છે. ખેડૂતોને પડયા માથે પાટુ જેવી સ્થિતિ સર્જાઇ છે.
અમરેલી સહિત ગ્રામ્ય વિસ્તારના વાતાવરણમાં પલટો અમરેલી સહિત ગ્રામ્ય વિસ્તારના વાતાવરણમાં પલટો આવ્યો છે. અમરેલીના ઈશ્વરીયામાં ભારે પવન સાથે જોરદાર વરસાદી ઝાપટું પડ્યું. અમરેલી શહેરમાં પણ પવન સાથે વરસાદી છાંટા પડ્યા.
મગફળી અને કપાસના ખેતરોમાં પાણી ભરાયા
કમોસમે કરા સાથે વરસાદ પડતા ખેડૂતોને પડ્યા પર પાટુ જેવો ઘાટ થયો છે. એક તરફ વર્ષ માઠુ છે અને તેમાં પણ કરા સાથે વરસાદ પડતા પાકને મોટુ નુકસાન થયું છે. ખેડૂતો પાક લણવાની તૈયારીઓ કરતા હતા તે સમયે જ વરસાદ પડતા પાક ધૂળધાણી થયો છે.
કપાસ વીણવાની તૈયારી કરતો ખેડૂત હવે કપાસ પાણીમાં જવાથી દુખી છે. મગફળીના પાકનો પણ આવો જ ઘાટ છે. મગફળીના પાથરા ખેતરમાં પડ્યા છે ત્યાં વરસાદ પડતા મગફળી પર પાણી ફરી વળ્યું છે.
તો તુવરે સહિતના ઉભા પાક પણ જમીનદોસ્ત થઈ ગયા છે. જેના કારણે ખેડૂતોનું સંપૂર્ણ વર્ષ ફેઈલ થયું છે. ખેડૂતોએ રોવાનો વારો આવ્યો છે. એક તરફ ઓછા વરસાદના કારણે ઓછો પાક થયો તેવામાં હવે પાક હાથમાં વતા-આવતા ફરી કુદરત છીનવી ગયો.