થરાદ ખાતે ઠાકોર સમાજના યુવાનો બહોળી સંખ્યામાં જોડાયા હતા અને સરકારી ગેસ્ટ હાઉસથી રેલી કાઢી નાયબ કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું હતું.
વાવના ધારાસભ્ય ગેનીબેન જનતા રેડનો મામલો
થરાદ ખાતે ઠાકોર સમાજના યુવાનો મેદાને ઉતર્યા
સાચી અને ન્યાયિક તપાસ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી
દારૂની ઘુસણખોરી જે અટકાવે.તેના જ પરિવાર પર દારૂના વેચાણના આક્ષેપો લાગે તો..? આવું જ હાલ ગુજરાતમાં થઈ રહ્યું છે.એક ધારાસભ્ય જનતાની સાથે મળીને જનતા રેડ પાડી દારૂની ઘુસણખોરી અટકાવે છે.પોલીસની પોલ ખુલ્લી પાડે છે.અને હવે તે જ વિસ્તારમાંથી કેટલાક લોકો ધારાસભ્યના પરિવાર પર જ આક્ષેપો લગાવી રહ્યા છે ત્યારે હવે આ જનતા રેડનો મામલો વધુ બીચકતો જાય છે.
વાવના ધારાસભ્ય ગેનીબેન જનતા રેડનો વધુ બીચક્યો છે. થરાદ ખાતે ઠાકોર સમાજના યુવાનો મેદાને ઉતર્યા છે. ઠાકોર સમાજના યુવાનોએ બહોળી સંખ્યામાં સરકારી ગેસ્ટ હાઉસથી રેલી કાઢી હતી અને નાયબ કલેકટરને પણ આવેદનપત્ર આપ્યું હતું. જનતા રેડ બાદ ઠાકોર સમાજના બે યુવાનો પર થયેલ ખોટી ફરિયાદ બાબતે તટસ્થ તપાસ કરવાની માંગ કરાઈ છે..સાચી અને ન્યાયિક તપાસ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી પણ ઉચારી છે. બિનરાજકીય સામાજિક આગેવાનો સાથે રેલી સ્વરૂપે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
જનતા રેડ કરનાર સામે જ નોંધાઈ ફરિયાદ
બનાસકાંઠાના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે 18 માર્ચે ગામના યુવાનોને સાથે રાખીને જનતા રેડ કરીને દારુનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જે મામલે બુટલેગરે રેડ કરનાર બે વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી દીધી. વળી પાછા પોલીસે પણ પ્રધાનજી ઠાકોર અને બાલાજી ઠાકોર નામના શખ્સ સામે ફરિયાદ નોંધી પણ ખરી. આ ઘટનાને પગલે સવાલ ચોક્કસ થાય કે પોલીસની રહેમનજર હેઠળ દારુના અડ્ડા ધમધમી રહ્યા છે?
બુટલેગરો સામે લડીશું, બુટલેગરો સામે ઝુકીશું નહી : ગેનીબેન ઠાકોર
ગેનીબેન સાથે જનતા રેડ કરનાર સામે જ ફરિયાદ થતાં ગેનીબેન ઠાકોર પોલીસ સ્ટેશન દોડી ગયા હતા. દિયોદર પોલીસ સ્ટેશનમાં ગેનીબેનની સાથે ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત પણ ઉપસ્થિત હતા ત્યારે ગેનીબેને સમગ્ર મામલે મોટા ખુલાસા કર્યા છે તથા રાજ્યની પોલીસ તથા તે વિસ્તારના SP પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે કહ્યું જે દિવસે મેં વિધાનસભામાં સવાલ ઉઠાવ્યો એ જ રાતે દારૂ આટલી મોટી સંખ્યામાં પકડાયો, અહીના SP કોઈને ગાંઠતા નથી. આટલું જ નહીં આગામી સમયમાં આ સવાલ વિધાનસભા ગૃહમાં ઉઠાવવામાં આવશે તેવું ગેનીબેને જણાવ્યું હતું, તેમણે કહ્યું હતું કે તેઓ આ ઝૂકશે નહીં. આટલું જ નહીં કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે એમ પણ ચીમકી ઉચ્ચારી હતી કે જૉ તટસ્થ તપાસ કરવામાં નહીં આવે તો આંદોલન કરવામાં આવશે.