બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, ડીસા, લાખણી, કાંકરેજ, ધાનેરા, દાંતીવાડા, અમીરગઢ, દાંતા અને વડગામ સહીતના વિસ્તારોમાં વરસાદથી નુકસાન થયું છે.
બનાસકાંઠામાં વરસાદે સર્જી તારાજી
ખેડૂતોએ તૈયાર કરેલો પાક નિષ્ફળ
ખેડૂતોએ સહાય ચૂકવવા કરી માગ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી બાદ સમગ્ર રાજ્યમાં વરસાદ થયો છે. આ વરસાદના કારણે રાજ્યના અનેક સ્થળે નુકસાન થયું છે. આવું જ નુકસાન બનાસકાંઠા જિલ્લાના પાલનપુર,ડીસા, લાખણી, કાંકરેજ, ધાનેરા, દાંતીવાડા, અમીરગઢ, દાંતા અને વડગામ સહીતના વિસ્તારોમાં થયું છે. મોડી રાત્રે આવેલા વરસાદના કારણે ખેડૂતોના પડતા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે, ભારે પવન સાથે આવેલા વરસાદના કારણે ખેડૂતોના ખેતરોમાં ઉભેલો બાજરીનો પાક જમીનદોસ્ત થયો છે.
પાકમાં નુકસાન
સાથે જ મગફળીમાં પણ પાણીનો ભરાવો થયો છે. જિલ્લાના અનેક સ્થળે પશુઓ માટે બનાવેલા પતરાના શેડ પણ ઉડી ગયા છે, તો ખેડૂતોએ ખેતરમાં બનાવેલા ગોડાઉનના પતરા પણ ઉડી ગયા છે. જેથી પશુઓ માટે રાખેલા ઘાસચારમાં પણ નુકસાન થયું છે. જેને લઈ ખેડૂતોએ તાત્કાલિક સહાય ચૂકવવા માગ કરી છે.
પતરા ઉડ્યા
પાલનપુરના સેમોદરામાં પતરાનો શેડ જમીનદોષ થતા વાડામાં ઉભેલી ગાય પર પતરું પડતા ગાયનું કમ કમાટી ભર્યું મોત નીપ્યું છે. તો બીજી તરફ ખેડૂતોએ પોતાના ખેતરમાં બનાવેલા ગોડાઉનના પતરા ઉડી જતા ખેડૂતોના ઘાસચારામાં પણ ભારે નુકસાન થયો હતો.