અગ્નિપથના વિરોધમાં ભારત બંધના એલાનને લઈને બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી DYSP સહિતના અધિકારીઓનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો.
અગ્નિપથના વિરોધમાં ભારત બંધના એલાનને લઈ ગુજરાત પોલીસ પણ એલર્ટ
બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી DYSP સહિતના અધિકારીઓનો પોલીસ બંદોબસ્ત
બળજબરીપૂર્વક બંધ કરાવનારા સામે થશે કડક કાર્યવાહી
કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાના વિરોધમાં કેટલાંક સંગઠનોએ આજે ભારત બંધનું એલાન આપ્યું છે. ત્યારે સમગ્ર ભારતમાં આજે અગ્નિપથના વિરોધમાં ભારત બંધના એલાનને લઈને પોલીસ એલર્ટ થઇ ગઇ છે. ત્યારે ગુજરાતમાં પણ તેના ઘેર પ્રત્યાઘાત ના પડે એ માટે પોલીસ પહેલેથી જ સજ્જ થઇ ગઇ છે.
બનાસકાંઠા જિલ્લામાં DYSP સહિતના અધિકારીઓ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત
રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં જાહેર સ્થળો તેમજ કેટલાંક મહત્વના સ્થળોએ પોલીસ પેટ્રોલિંગ વધારાયુ છે. જેમાં વહેલી સવારથી જ DYSP સહિતના અધિકારીઓ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. કોઇ પણ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિ હોય કે પછી બળજબરીપૂર્વક બંધ કરાવનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.
Punjab Police directed to remain on high alert ahead of 'Bharat Bandh' on June 20
અત્રે નોંધનીય છે કે, અગ્નિપથ યોજનાના વિરોધમાં આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. જો કે, હજુ સુધી ભારત બંધને લઇને કોઇ સંગઠન સામે નથી આવ્યું. ભારત બંધને લઇને માત્ર સોશિયલ મીડિયામાં તેનો માહોલ બનાવવામાં આવી રહ્યો છે. ભારત બંધને લઇને ગૃહ વિભાગ પણ અલર્ટ મોડ પર છે. દેશમાં બિહાર, ઝારખંડ, યુપી, પંજાબ અને હરિયાણામાં પોલીસ વિશેષ સતર્કતા દાખવી રહી છે. જણાવી દઇએ કે, અગ્નિપથ યોજનાને લઇને દેશભરમાં કોંગ્રેસ આજે વિરોધ કરશે.
અગ્નિપથ યોજનાને લઇને ગુજરાત કોંગ્રેસનું આજે અમદાવાદમાં વિરોધ પ્રદર્શન
આજ રોજ રાજ્ય (ગુજરાત) માં પણ ગુજરાત કોંગ્રેસ અગ્નિપથ યોજનાને લઇને વિરોધ કરશે. અગ્નિપથ યોજના તેમજ EDની કાર્યવાહીને લઇને ગુજરાત કોંગ્રેસ અમદાવાદમાં વિરોધ કરશે. અમદાવાદના પાલડી કોંગ્રેસ કાર્યાલયથી ટાઉન હોલ સુધી ગુજરાત કોંગ્રેસ આજે રેલી યોજશે. યુવાઓ તેમજ કોંગ્રેસ કાર્યકરો અગ્નિપથ યોજનાના વિરોધમાં જોડાશે. આગામી સમયે કોંગ્રેસ રાજ્યવ્યાપી દેખાવોના કાર્યક્રમો પણ રજૂ કરશે.
Jharkhand | All schools in the state closed today and security personnel deployed, in wake of #BharatBandh against #AgnipathScheme.
અગ્નિપથ યોજનાના વિરોધમાં આજે ભારત બંધ: હાઈએલર્ટ પર RPF અને GRP
અત્રે જણાવી દઇએ કે, કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાના વિરોધમાં છંછેડાયેલા પ્રદર્શનની વચ્ચે અમુક સંગઠનોએ આજે ભારત બંધનું એલાન આપ્યું છે. ભારત બંધને જોતા રેલ્વે સુરક્ષા દળ (RPF) અને સરકારી રેલ્વે પોલીસ (GRP) હાઈ એલર્ટ પર છે. આરપીએફના વરિષ્ઠ અધિકારીઓએ એક નિવેદન જાહેર કરીને તમામ RPF યુનિટ્સને ઉપદ્રવીઓ અને તોફાન મચાવનારાઓ વિરુદ્ધ કડકાઈથી વર્તવાનો આદેશ આપ્યા છે. આદેશમાં એવું પણ કહેવાયુ છે કે, રમખામ કરતા યુવાનો વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમો અંતર્ગત કાર્યવાહી કરવામા આવશે. અહીં ઉલ્લેખનીય છે કે, સરકારની અગ્નિપથ યોજના વિરુદ્ધ યુવાનોમાં ભારે નારાજગી છે. યુવાનો સતત સરકાર પાસેથી આ યોજના પાછી લેવાની માગ કરી રહ્યા છે. જો કે, સેનાએ રવિવારે એક પ્રેસ કોન્ફ્રંસ કરીને સ્પષ્ટ કરી દીધું છે કે, અગ્નિપથ સ્કીમ પાછી લેવામાં આવશે નહીં.
આ યોજનાની વાપસીની માંગ સાથે અમુક સંગઠનોએ આજે ભારત બંધનું એલાન આપ્યું છે. તેને જોતા પોલીસ ફોર્સ, RPF અને GRPને હાઈએલર્ટ પર રહેવા સૂચના આપી દેવામાં આવી છે. પોલીસે મોબાઈલ ફોન, વીડિયો રેકોર્ડ કરનારા ડિવાઈસ તથા સીસીટીવી કેમેરા દ્વારા ઉપદ્વવીઓ વિરુદ્ધ ડિજિટલ પુરાવા એકઠા કરવાના પણ આદેશ આપ્યા છે. આ વીડિયો ફુટેજ દ્વારા સંદિગ્ધોને પકડવાની કોશિશ કરવામાં આવશે. પોલીસ અધિકારીઓને પ્રોટેક્ટિવ ગિયર પહેરવા માટે પણ કહેવામાં આવ્યું છે. ઉપરાંત બિહારમાં આજે લગભગ 20 જેટલા જિલ્લામાં ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે.