બનાસકાંઠા: એક તરફ ઉત્તર ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત છે. ત્યારે વારંવાર માઈનોર કેનાલમાં ગાબડાં પડતા ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતો વધુ ચિંતિત થયાં છે.
વારંવાર માઈનોર કેનાલમાં ગાબડા પડે છે. છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. ત્યારે આજે ફરીથી સુઈગામની બેણપ માઈનોર કેનાલમાં ગાબડું પડયું છે. કેનાલમાં 15 ફૂટનુ ગાબડું પડયું છે. ગાબડાં પડવાના કારણે ખેતરોમાં પાણી ભરાયા છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ગતવર્ષની સરખમાણીએ ચાલુ વર્ષે વરસાદનું પ્રમાણ ઓછું રહેતા જગતના તાતની ચિંતામાં વધારો થયો છે ત્યારે તાજેતરમાં સુઈગામની બેણપ માઈનોર કેનાલમાં ગાબડું પડ્યું હતું.
ગાબડું પડવાને કારણે કેનાલ નજીક રહેલા આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. ખેતરોમાં પાણી ધસી આવતા ઉભેલા પાકને મોટા પાયે નુકસાન થતાં ફરીવાર ખેડૂતની મુશ્કેલીમાં વધારો થયો હતો.
આપને જણાવી દઇએ કે બનાસકાંઠા સહિત રાજ્યમાં ઠેર-ઠેર કેનાલમાં ગાબડાં પડવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે વધુ એક ઘટના વાવના ચોથા નેસડામાં બનતા ખેતરોમાં મોટા પાયે નુકસાન થવા પામ્યું હતું.
આ મામલે ખેડૂતોએ જાહેર માધ્યમો સાથે વાતચીત કરતા જણાવ્યું કે તંત્રને વારંવાર જાણ કરવા છતાં કોઇ નિવેડો નહીં આવતા અંતે કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોના પાકને મોટાપાયે નુકસાન થવા પામેલ.