બનાસકાંઠા કુડા ગામે એક જ પરિવારના 4 લોકોની હત્યા મામલે એસઆઇટીની રચના કરવામાં આવી છે. અને પોલીસની વિવિધ ટીમો દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જેમાં બે DYSP અને બે LCB PSI સહિત તપાસ ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. સમગ્ર મામલો સમાજિક રીતે ઉગ્ર બનતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને હાલ પોલીસ દ્વારા કેટલાક શંકાસ્પદ લોકોની અટકાયત પણ કરવામાં આવી રહી છે. ત્યારે આ મામલે પરબત પટેલનું કહેવું છે કે, મેં સરકાર સાથે વાત કરી અને તેઓએ ખાતરી આપી છે કે, આરોપીઓને જલ્દી પકડી લેવામાં આવશે.