કુડા ગામમાં 4 લોકોની હત્યા મામલે નવો વળાંક આવ્યો છે. જેમાં આર્થિક સંકડામણના કારણે પિતાએ જ પત્ની અને ત્રણ સંતાનોની કરી હત્યા હોવાનું સામે આવ્યું છે. આર્થિક સંકડામણના કારણે હત્યા કરી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવામાં આવી રહ્યું છે. પિતાએ હત્યા કરી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો. પરિવારનો મોભી હાલ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
બનાસકાંઠાના લાખણીના કુડા ગામે એક જ પરિવારના 4 લોકોની હત્યા કરાઇ હોવાનો મામલો સામે આવ્યો હતો. જેમાં એક જ પરિવારના 5 લોકોમાંથી 4 લોકોની હત્યા કરી દેવાઇ જ્યારે અન્ય એક વ્યક્તિની ગંભીર હાલતમાં છે. તમામને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા જોવા મળ્યા હતા.
ગત રાતના સમયે આ હત્યા કરવામાં આવી હતી. ત્યારે જમીનના રૂપિયાની લેતી-દેતીમાં હત્યા કરાઇ હોવાની આશંકાને લઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. રાજ્યના બનાસકાંઠાના લાખણીના કુડા ગામે પરિવારના 4 લોકોની હત્યા કરાઇ હોવાની વિગત સામે આવી હતી. કુડા ગામના એક જ પરિવારના 5 લોકોમાંથી 4 લોકોની હત્યા કરાઇ છે.
અજાણ્યા શખસોએ પરિવારના પાંચ લોકો પર હુમલો કર્યો હતો. જેમાં 4 લોકોના ઘટનાસ્થળે મોત થયા હતા, જ્યારે અન્ય એક હજુ પણ ગંભીર હાલતમાં છે. ગત રાતના સમયે માતા સહિત ત્રણ બાળકોને તિક્ષણ હથિયારના ઘા ઝીંકાયા હતા.
જેમાં માતા હરજીબેન પટેલ, ત્રણ ભાઇ બહેન ઉકા પટેલ, ભાવના પટેલ અને સુરેશ પટેલનું મોત નિપજ્યું છે. જ્યારે પિતા કરશનજી પટેલને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. વ્યાજે લીધેલા પૈસાને લઇ તમામની હત્યા કરાઇ હોવાનું અનુમાન છે. ત્યારે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ દરમિયાન પોલીસને બાજરીના વાવેતરમાંથી કુહાડી મળી આવી હતી અને તેનાથી જ હત્યા કરાવી હોવાની પોલીસને શંકા છે.