બનાસકાંઠામાં પૌરાણિક આપેશ્વર મહાદેવ મંદીરમાં શિવલીંગના દર્શને નાગ પણ પહોચ્યો હતો. શિવલીંગમાં નાગની ધાતુની પ્રતિમા અને સજીવ નાગની હાજરીથી બે શિવલીંગ ફરતે બે નાગ વીંટળાયેલા હોય તેવું જણાતુ હતું.
શ્રાવણ માસમાં મનુષ્યની જેમ અન્ય જીવ પણ ભગવાનના દર્શને પહોચ્યો હોય તેવું જણાતુ હતું. દર્શનાર્થીઓએ આ સંયોગને ખુબ ભાવભરી નજરે નિહાળ્યો હતો. તેમજ પ્રત્યક્ષ દર્શનાર્થીઓએ આ સંયોગને અંધવિશ્વાસમાં કે ચમત્કારમાં ન ખપાવવા પણ અપીલ કરી હતી.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને ઠેર-ઠેર રહેવા શિવ મંદીરોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે ત્યારે બનાસકાંઠામાં આવેલ પૌરાણિક આપેશ્વર મહાદેવના ગર્ભગૃહ ખાતે રહેલ શિવલીંગના દર્શન કરવા એક સાપ આવી પહોંચતા અદભુત સંયોગ સર્જાયો હતો.
સાપને શિવલીંગ ફરતે વીંટળાયેલા સાપની ઘટનાના સમાચાર આસપાસના પંથકમાં વાયુ વેગે પ્રસરતા લોકોના ટોળા આપેશ્વર મહાદેવ ખાતે પહોંચ્યા હતા અને આ કુદરતી નજારાને ચમત્કાર ગણીને દર્શન પણ કર્યા હતા. જો કે આ નજારો એક કુદરતી સંયોગ હોવાથી તેને અંધ વિશ્વાસમાં ન ખપાવવા વીટીવી દ્વારા અપીલ કરવામાં આવે છે.