બનાસકાંઠાના કાંકરેજના મોટાજામપુરમાં ગેસ ગળતરની ઘટના સામે આવી છે.
ગેસ ગળતર થતા 2 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે 4 લોકોને અસર થઇ છે. જેને લઇને તમામ ચારેય લોકોને સારવાર માટે રાધનપુર ખાતે ખસેડવામાં આવ્યા છે. બાયોગેસના કુવામાં સફાઇ કરવા માટે જતા આ ઘટના બની હતી. આ ઘટનાને લઇને શિહોરી પોલીસે ફરિયાદ નોંધા આગળની તપાસ હાથ ધરી છે.