બનાસકાંઠા: ગત વર્ષે બનાસકાંઠામાં આવેલા ભારે પૂરના કારણે ભારે તારાજી સર્જાઇ હતી ત્યારે કાંકરેજ તાલુકાના ખારીયા ગામમાં સૌથી વધુ પુરની અસર જોવા મળી હતી આખું ગામ પુર પાણીમાં તણાઈ ગયુ હતું. ત્યારે આ ગામમાં એક જ પરિવારના સત્તર લોકોએ જીવ ગુમાવ્યા હતા ઘર પશુઓ પુરમાં તણાઈ ગયા હતા. આ વાતને એક વર્ષ વીતવા આવ્યું છતાં પણ આ ગામના લોકો સહાયથી વંચિત છે.
ગત વર્ષે બનાસકાંઠામાં આવેલા ભયાનક પુરના કારણે કેટલાય ગામડાઓ પુર માં સમાઈ ગયા હતા. પૂરના કારણે કેટલાય પરિવારો બેઘર બની ગયા હતા પશુ પક્ષીઓ સહિત લોકો પુરમાં તણાઈ જવાથી મોત ને ભેટયા હતા. ત્યારે આજ ગામના એકજ પરિવાર ના 17 જેટલા લોકો આપુરમાં મૃત્યુ પામ્યા હતા.
જોકે તેમના પરિવારમાં જીવિત રહેલા લોકો હાજી સુધી એ વાતને ભૂલ્યા નથી. હાજી સુધી નેમની આંખોમાંથી આસુઓ સુકાતાના નથી તેમના પરિવારમાંથી દોઢ વર્ષની એક નાની દીકરી પણ આ પુરમાં તણાઈ ગઈ હતી. ત્યારે હાજી સુધી આ દિકરીની કોઈજ જાતની ભળ મળી નથી. વારંવાર તંત્રને જાણ કરવા છતાં તંત્ર દ્ધારા આ નાની દીકરીને શોધવા માટે કોઈજ જાતના પગલાં લીધા નહોતા.
ઉલ્લેખનીય છે કે પૂરના કારણે કેટલાય ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને ગામ લોકો બેઘર થઈ જા પામ્યા હતા જોકે ખુદ મુખ્યમંત્રી પાંચ દિવસ બનાસકાંઠામાં રહીને પુરગ્રસ્ત લોકો ની મુલાકાત લીધી હતી અને તેમના પ્રશ્નોને વાચા આપવા માટે તેઓએ લોકોને વચન આપ્યા હતા.
ખાસ કરીને ખાલી આ ગામમાં એક જ પરિવારના 17 લોકોના મોત થયા હતા. તે પરિવારને મળીને મુખ્યમંત્રીએ તેમને આપવાનો અને ઘર બનાવી આપવાના વચન આપ્યા હતા પણ આ વાતને એક વર્ષ વીતવા છતાં પણ હજુ સુધી આ લોકો એ જ પરિસ્થિતિમાં જીવવા માટે મજબૂર બને છે.
જે મકાન બનાવવા માટે તંત્ર દ્વારા વાયદા કરવામાં આવ્યા હતા તે વાયદાઓ પોકળ સાબિત થયા છે તેના પરિવારને હજી સુધી એક પણ મકાન બનાવી આપવામાં આવી નથી કે અન્ય કોઈ સહાય આપવામાં આવી નથી ત્યારે યાના સ્થાનિક લોકોની માંગ છે કે સરકાર અમને મકાન બનાવી આપે. આ વાતને એક વર્ષ વીતવા છતા હજી સુધી સરકાર દ્વારા એક પણ પરિવારને મકાન બનાવી આપવામાં આવી પરિવારો હાલ પણ ખુલ્લામાં રહેવા માટે મજબૂર બન્યા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે એક વર્ષથી ઉપર આભ અને નીચે જમીન ઉપર અમે રહીએ છીએ ફરીથી ચોમાસુ આવી ગયો છે અને વરસાદની શરૂઆત થઈ ગઈ છે હાલ તેઓને રહેવા માટે મકાન નથી તો આ લોકોને હવે યાં રહેવું તે પણ એક મોટો પ્રશ્ન છે.
આપને જણાવી દઇએ કે સરકાર દ્વારા જે રીતે બનાસકાંઠામાં પંદરસો કરોડ સહાયની જાહેરાત કરવામાં આવી હતી તે સહાય યાં વાપરે તે પણ એક મોટો પ્રશ્ન છે. શું તંત્ર દ્વારા આ સહાયમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યું છે શા માટે આ લોકોને હજી સુધી મકાન કે બીજી કોઈ આપવામાં નથી આવી ગામલોકોને સરકાર દ્વારા ઘર અને ઘરવખરી આપવાના જે વચન આપ્યા હતા.
તે વચનો પોકળ સાબિત થતા હોય તેવું લાગી રહ્યું છે હાલ પણ આ પરિવારો એકદમ દયનીય પરિસ્થિતિમાં જીવવા માટે મજબૂર બન્યા છે તેઓનું કહેવું છે કે એક વાર મુખ્યમંત્રી વાયદાઓ તો કરીને ગયા છે પણ એ વાયદા પ્રમાણે કોઈ જાતની સહાય આપી વાયદાઓ પૂરા કર્યા નથી.
સ્થાનિક લોકોનું કહેવું છે કે જો ફરીથી બનાસકાંઠામાં પૂરની પરિસ્થિતિ સર્જાશે તો હાલ પણ અમારે ગયા દિવસો જોવા પડશે. કારણકે જે સરકાર દ્વારા પાણી જવાનું નિકાલ કરવામાં આવ્યો નથી જો તંત્ર દ્વારા પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં નહીં આવે તો ફરીથી ખાડીયા ગામમાં એ જ પરિસ્થિતિ સર્જાશે અલ્યા ગામમાં નર્મદાની કેનાલ બનાવવામાં આવી છે તે કેનાલને બાજુમાંથી પૂરના પાણી નીકળવાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે જેથી બીજીવાર આવી પરિસ્થિતિનો સામનો ના કરવો પડે
બનાસકાંઠામાં પૂરની સહાય માં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનો હાલ બુમરાણ ઉઠી છે. સરકાર દ્વારા જે રીતે બનાસકાંઠામાં પંદરસો કરોડ સહાયની જાહેરાત કરવામાં આવી હતી તે સહાય ક્યાં વપરાઈ તે પણ એક મોટો પ્રશ્ન છે. શું તંત્ર દ્વારા આ સહાયમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યું છે? શા માટે આ લોકોને હજી સુધી મકાન કે બીજી કોઈ આપવામાં નથી આવી? જો આમાં યોગ્ય તપાસ થાય તો મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર બહાર આવી શકે છે.