બનાસકાંઠામાં તીડનો આતંક હજુ પણ યથાવત્ છે. ત્યારે VTV બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં પહોંચ્યું છે. રાજસ્થાનની બોર્ડર પર આવેલા થરાદના ગામમાં તીડનો આતંક જોવા મળી રહ્યો છે. થરાદ અને વાવ તાલુકામાં તીડના ટોળે ટોળા જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં તીડના ટોળાએ વૃક્ષોને પણ નથી બક્ષ્યા વૃક્ષો પર મધમાખીની જેમ તીડ ચોંટી પડ્યા છે. થરાદના ભરડાસર, નવાગામ, રાનેસરી, કાસવી, કરેલી અને તેની આસપાસના ગામમાં તીડે ભારે નુકસાન પહોંચાડ્યું છે. તો દાંતીવાડા અને વડગામ તરફ આજે તીડ જાય તેવી શક્યતા છે.
ઉત્તરગુજરાતના સરહદી વિસ્તારમાં તીડ આતંક મચાવી રહ્યા છે અને સરકાર સહાયના ઉત્સવો ઉજવી રહી છે. ત્યારે ખેડૂતોના ખેતરોમાં તીડ આતંક મચાવી રહ્યા છે.
તીડ થરાદ અને વાવ તાલુકામાં તીડના ટોળે ટોળા જોવા મળી રહ્યો છે
બનાસકાંઠામાં તીડનો આતંક હજુ પણ યથાવત્ છે. રાજસ્થાનની બોર્ડર પર આવેલા થરાદના ગામમાં તીડનો આતંક જોવા મળી રહ્યો છે. થરાદ અને વાવ તાલુકામાં તીડના ટોળે ટોળા જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં તીડના ટોળાએ વૃક્ષોને પણ નથી બક્ષ્યા વૃક્ષો પર મધમાખીની જેમ તીડ ચોંટી પડ્યા છે. થરાદના ભરડાસર, નવાગામ, રાનેસરી, કાસવી, કરેલી અને તેની આસપાસના ગામમાં તીડે ભારે નુકસાન પહોંચાડ્યું છે. તો દાંતીવાડા અને વડગામ તરફ આજે તીડ જાય તેવી શક્યતા છે.
ધારાસભ્યો પણ પહોંચ્યા મુલાકાતે
બનાસકાંઠાના થરાદના કાશવી ગામમાં મોટા પાયે તીડનો આતંક જોવા મળી રહ્યો છે. એરંડાના પાકને તીડ મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે. સાંસદ પરબત પટેલ અને ગુલાબસિંહ રાજપૂતે ખેડૂતોની મુલાકાતે પહોંચ્યા છે. બીજી તરફ ખેતીવાડી વિભાગના અધિકારીઓ પણ ખેડૂતોની વહારે પહોંચ્યા છે. કાશવી ગામમાં ખેડૂતોને તીડના કારણે મોટાપાયે નુકસાન થયું છે
શિક્ષકો અને વિદ્યાર્થીઓ પણ કામે લાગ્યા
બનાસકાંઠામાં તીડનો આક્રમણ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે તંત્ર દ્વારા શિક્ષકોને તીડ ભગાડવાનો આદેશ આપવામાં આવ્યો છે.. તંત્ર દ્વારા તીડ ભગાડવાની જવાબદારી શિક્ષકોને સોંપવામાં આવી છે. ત્યારે બનાસકાંઠામાં શિક્ષકો સાથે વિદ્યાર્થીઓ તીડે ભગાવતાનો વીડિયો વાયરલ થયો છે. થાળીઓ લઈ ગામ માંથી તીંડને બાળકો ભગાવી રહ્યા છે. શિંક્ષકો સાથે વિદ્યાર્થીઓને તીડ ઉડાડવાનો વીડિયો વાયરલ થયો છે. તો બીજી બાજુ તીડને લઈ ખેડૂતો મશ્કેલીમાં મુકાયા છે.
કેન્દ્રની 11 અને રાજ્યની 18 ટીમો તીડ નિયંત્રણ માટે કામે લાગી
બનાસકાંઠા જિલ્લામાં તીડનો આતંક યથાવત છે. તીડના કારણે ખેડૂતોની હાલત કફોડી બની ગઇ છે. જેને લઇ કેન્દ્રની 11 અને રાજ્યની 18 ટીમો તીડ નિયંત્રણ માટે કામે લાગી છે. રાજ્ય સરકાર દવા પર ખેડૂતોને સબસીડી પણ આપશે. ખેડૂતોને 50 ટકા તીડ નાશક દવા વાપરવાની સલાહ અપાઇ છે. ક્લોરોપાઈરીફોસ 20 ઈસી વાપરવાની સલાહ અપાઇ છે. જેમાં 100 લીટર પાણીમાં 3થી 5 લીટર દવા નાખી છંટકાવ કરવાની સલાહ અપાઇ છે. ખેડૂતોને તીડ નિયંત્રણ કામગીરીમાં જોડાવાની કલેક્ટરે અપીલ કરે છે
તીડ બટાકાના પાકનો સફાયો કર્યો
બનાસકાંઠા બાદ હવે તીડ સાબરકાંઠાની સરહદે પહોંચ્યાં છે. મહેસાણા સતલાસણાથી તીડ સાબરકાંઠામાં પ્રવેશ્યાં છે. તીડ ખેડૂતોનો પાકનો સફાયો કરી રહ્યા છે. તો તીડ આવતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે. કમોસમી વરસાદ બાદ ખેડૂતો તીડથી પરેશાન થયા છે. સાબરકાંઠામાં બટાકાનો પાકનો સફાયો થઈ શકે છે. પોશીનાના રાઈવા ફળિયું, કાળી દેવી, તાલુકાના ગામે તીડનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા તીડને નાથવા ખેતી વાડી અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યાં છે. તંત્ર દ્વારા દવાનો છંટકાવ શરૂ કારવામા આવ્યો છે..આદિવાસીઓ દ્વારા ઢોલ-નગારા વગાડી તીડ ભગાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે