ખેડુતને તાત્કાલિક સારવાર મળતાં જીવ બચી ગયો હતો, ખેડૂત નેતા પાલ આંબલીયાએ મુલાકાત કરી મદદની ખાતરી આપી
બનાસકાંઠા: ખેડૂતે આત્મહત્યાનો કર્યો પ્રયાસ
રી સર્વે માં ખેડૂતની જમીન ઉલટફેર થઈ
સદનસીબે તાત્કાલિક સારવાર મળતા જીવ બચ્યો
બનાસકાંઠાના કરનાલા ગામના ખેડૂત ની જમીન રી સર્વેમાં બાકાત થઈ જતાં ખેડૂતે આત્મહત્યા નો પ્રયાસ કર્યો હતો. જોકે ખેડુતને તાત્કાલિક સારવાર મળતાં તેનો જીવ બચી ગયો હતો.ત્યારે આ સમગ્ર મામલે ખેડુત નેતા પાલ આંબલીયા એ ખેડુત સાથે મુલાકાત કરી હતી.
અનેક રજૂઆતો થતાં ન આવ્યો કોઈ ઉકેલ
બનાસકાંઠા માં રી સર્વે માં ઘણા ખેડૂતો ની જમીન ઉલટફેર થઈ છે તો ઘના ખેડૂતો ની જમીન પોતાના સર્વે નંબર માં થી બાકાત થઈ ગઈ છે..ત્યારે ખેડૂતો લેન્ડ રેકર્ડ કચેરી ખાતે અરજીઓ આપી મૂળ જમીનો પરત મેળવવા માટે ની રજૂઆતો કરી રહ્યા છે.ત્યારે વડગામ તાલુકાના કરનાળા ગામે રામજીભાઈ પરમાર નામના ખેડુત ની જમીન પોતાના સર્વે નંબર માં થી બાકાત થઈ જતાં આ અંગે ખેડૂતે કચેરી જઈ રજૂઆત કરી હતી.
જમીન રિ-સર્વેમાં ધાંધિયા તો જુઓ..
છેલ્લા કેટલાક સમયથી રજૂઆત બાદ પણ યોગ્ય ન્યાય ના મળતા આખરે ખેડૂતે કંટાળી પાલનપુર કલેકટર કચેરી નજીક ઝેરી દવા પી આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો જોકે આ ખેડૂતને સમયસર સારવાર મળતાં ખેડુત નો જીવ બચી ગયો હતો.પરંતુ આ સમગ્ર મામલે હવે ખેડુત નેતા પાલ આંબલીયાએ આ ખેડુત ની હોસ્પિટલ માં મુલાકાત કરી હતી. જ્યાં પાલ આંબલીયા એ જણાવ્યું હતું કે રામજીભાઈ જે ખેડુત છે તેમનું 4 એક્રર જમીન હતી જે રી સર્વે માં માત્ર 13 ગુઠ્ઠા થઈ ગઈ છે..બાજુ ના ખેડૂતો ના ખેતરો ની જમીન રામજીભાઈ ના ખેતર માં જતી રહી છે પરંતુ રામજીભાઈ ની જમીન કયા ગઈ એ કચેરી ના અધિકારીઓ જાણતા નથી.
ખેડૂતને દિલાસો અપાયો
રામજીભાઈ ના ખેતર માં કૂવો મકાન જે હતું ત્યાં હાલ બીજા લોકો જેમની જમીન રી સર્વે માં રામજીભાઈ ની જમીન માં આવી ગઈ છે. તે લોકો કબ્જો લઈ લીધો છે.ત્યારે અનેક રજૂઆતો છતાં રામજીભાઈ ને ન્યાય ન મળતાં તેમને આખરે કંટાળી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે પાલ આંબલીયાએ રામજીભાઈ ને સમજાવતા કહ્યું કે આપઘાત કોઈ સમસ્યાનો .તમારી લડાઈમાં ગુજરાત ના તમામ ખેડૂતો તમારી સાથે છે.ત્યારે પાલ આંબલીયા એ ખેડુત રામજીભાઈ સાથે મુલાકાત કરી સમગ્ર મામલે મદદ માટે ની ખાતરી આપી હતી.