7 દિવસથી દિયોદરમાં ધરણાં કરતાં ખેડૂતોને 8 કલાક વીજળી અંગે તંત્રએ લેખિત બાંહેધરી આપી છે.
બનાસકાંઠાના દિયોદરમાં ખેડૂતોના ધરણાનો અંત
ખેડૂતોની માંગ સામે તંત્રએ આપી લેખિત બાંહેધરી
દિયોદરના વખા ખાતે 7 દિવસથી ચાલતા ધરણા સમેટાયા
બનાસકાંઠામાં દિયોદરના ખેડૂતો આઠ કલાક સુધી પૂરતી વીજળી આપવાની માંગને લઈને છેલ્લા સાત દિવસથી સરકાર સામે વિરોધ દર્શાવી રહ્યા છે આજે પણ મોટી સંખ્યામાં ખેડૂતો પાવર સ્ટેશન થી લઈને દિયોદર એસડીએમ કચેરી સુધી પાંચ કિલોમીટર લાંબી ટ્રેક્ટર રેલી કાઢીને હજારોની સંખ્યામાં ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો હતો. ચૂંટણી પહેલા ખેડૂતોનો આ સળગતો પ્રશ્ન સરકારે સોલ્વ કરી દીધો છે. બનાસકાંઠાના દિયોદરમાં ખેડૂતોના ધરણાનો અંત આવી ગયો છે.
દિયોદર SDM એ 8 કલાક વીજળી માટે લેખિત બાંહેધરી આપી
બનાસકાંઠાના દિયોદરના 7 દિવસથી ખેડૂતો 8 કલાક વીજળી માટે ધરણા પર બેઠા હતા.ત્યારે મક્કમ અને અડગ ખેડૂતોની હવે જીત થઈ છે. દિયોદર SDM એ 8 કલાક વીજળી માટે ખેડૂતોને લેખિત બાંહેધરી આપી દેતા ખેડૂતોના ધરણાનો અંત આવી ગયો છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) March 29, 2022
7 દિવસથી ચાલતા ધરણા સમેટાયા
સરકાર ભલે ગુજરાતમાં પૂરતી વીજળી અને પાણી આપવાની જાહેરાતો કરતી હોય છે પરંતુ બનાસકાંઠા જિલ્લાના દ્રશ્ય કઈક અલગજ દયા કરી રહ્યા છે બનાસકાંઠાના દિયોદર તાલુકામાં છેલ્લા સાત દિવસથી ખેડૂતો આઠ કલાક વીજળી ને માંગને લઈને દિયોદર વખા ખાતે આંદોલન કરી રહ્યા છે આઠ કલાકની જગ્યાએ સરકારે ચારથી પાંચ કલાક જેટલી જ વીજળી આપવાના કારણે અને તેમાં પણ ટેપિંગ થતાં ખેડૂતોને રવી સીઝનમાં ખેતી પાકને પૂરતું પાણી આપી શકતા નથી જેના કારણે બાજરી મગફળી સહિતના શાકભાજીને નુકસાન થઈ રહ્યું છે પોતાના પાકને નુકશાનની સંભાવના પગલે મોટી સંખ્યામાં ખેડૂતો છેલ્લા સાત દિવસથી દિયોદરના વખા ગામના ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ કચેરી આગળ ધરણા પર બેઠા હતા. જે બાદ દિયોદર SDM એ 8 કલાક વીજળી માટે લેખિત બાંહેધરી આપતા મામલો થાળે પડી ગયો છે. ખેડૂતોએ ધરણાં સમેટી લીધા છે.
આજે ટ્રેક્ટર રેલીનું કર્યું હતું આયોજન
આજે મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર રેલીમાં જોડાયા હતા અને આ હજારોની સંખ્યામાં જોડાયેલી ટ્રેક્ટર રેલી દિયોદરના એસડીએમ કચેરી આગળ વિરોધ પ્રદર્શન કર્યું હતું અમે ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી તેમને આઠ કલાક વીજળી નથી આપવામાં આવે ત્યાં સુધી ખેડૂતો ધરણા કરીને સરકારનો વિરોધ કરશે છતાં પણ જો સરકાર પૂરતી વીજળી નહીં આપે તો આવનાર સમયમાં મોટી સંખ્યામાં ખેડૂતો અહીં થી ગાંધીનગર વિધાનસભાનો ઘેરાવ કરીને ત્યાં વિરોધ પ્રદર્શન કરશે જેમાં સમગ્ર ગુજરાતના ખેડૂતો જોડાશે તેવી ધરણા પર બેઠેલા ખેડૂત આગેવાનોએ વાત કરી હતી. જે બાદ દિયોદર SDM સાથે ધરણા પર બેઠલા ખેડૂતો સાથે વાત કરી લેખિત બાંહેધરી આપી હતી કે 8 કલાક વીજળી મળશે જે બાદ ખેડૂતોએ હવે 7 દિવસનો ધરણા કાર્યક્રમ સમેટી ખુશી ખુશી ઘરે પરત ફર્યા છે.