બનાસકાંઠાના અમીરગઢના અવાળા ગામમાં પતિએ પત્નીને માનસિક ત્રાસ આપી અને ડામ આપ્યાનો બનાવ સામે આવ્યો છે. ત્યારે પતિ દ્વારા ત્રાસ આપવાને લઇ પત્નીએ 181 મહિલા હેલ્પલાઇનને જાણ કરી છે. મહિલાના બાળ લગ્ન સાટા પદ્ધતિથી થયા હતા. ત્યારે પૂર્વાગ્રહ રાખી તેનો પતિ તેને ત્રાસ આપતો આરોપ લગાવ્યો છે. હાલ મહિલા પોલીસે પીડિતાને પતિના ત્રાસમાંથી છોડાવી છે અને ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે અહિંયા સવાલ એ છે કે, મહિલાઓ ક્યાં સુધી આવા લોકોથી પીડાતી રહેશે ?. શું સ્ત્રી કેળવણી અને સ્ત્રી સશક્તિકરણની માત્ર વાતો જ છે ?. શું લગ્ન થયા એટલે માર મારવાનો અધિકાર પણ મળી ગયો ?. પત્નીને પ્રેમથી રાખવાના બદલે તેને ડામ આપવામાં આવે છે ?.