ગુજરાતમાં હાલ કોરોના વાયરસની મહામારીનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યના સાબરકાંઠા જિલ્લામાં કોરોનાના કેર વચ્ચે બેદરકારીના દ્રશ્યો સામે આવ્યાં છે. જેમાં APMCમાં શાકભાજીના વેચાણ માટે લોકોની ભીડ જોવા મળી. જો કે બીજી તરફ જિલ્લાના ઇડરમાં કોરોના કહેર યથાવત જોવા મળતા પ્રાંતિજ અને તલોદ બાદ અહીં પણ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.
સાબરકાંઠા જિલ્લામાં કોરોનાના કેર વચ્ચે બેદરકારીના દ્વશ્યો
APMCમાં શાકભાજીના વેચાણ માટે જામી લોકોની ભીડ
સાબરકાંઠાના ઇડરમાં કોરોનાનો કહેર યથાવત
પ્રાંતિજ અને તલોદ બાદ ઇડરમાં પણ સ્વૈચ્છિક લોકડાઉન
શાકભાજી માર્કેટમાં સામાજિક અંતરના ઉડ્યા ધજાગરા
ગુજરાતમાં હાલ કોરોના બેકાબુ જોવા મળી રહ્યો છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં APMCમાં શાકભાજીના વેચાણ માટે લોકોની ભીડ જામેલી જોવા મળી. શાકભાજી માર્કેટમાં સામાજિક અંતરના ધજાગરા ઉડતા જોવા મળ્યાં. શાકમાર્કેટમાં લોકો માસ્ક વિના ફરતા જોવા મળ્યાં.
આ રીતે કેમ હારશે કોરોના?
સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુદીમાં કોરોનાના 1 હજાર 427 કેસ નોંધાયા છે. જેમાં જિલ્લામાં કોરોના એક્ટિવ કેસ 131 નોંધાય છે. જો કે તેમ છતાં લોકોની ભીડને લઇને તંત્ર જાણે સાવ અજાણ છે.
પ્રાંતિજ અને તલોદ બાદ ઇડરમાં પણ સ્વૈચ્છિક લોકડાઉન
સાબરકાંઠા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે પહેલેથી જ પ્રાંતિજ અને તલોદમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. જો કે હાલ ઇડરમાં કોરોનાનો કહેર જોવા મળતા 25 નવેમ્બરથી 9 ડિસેમ્બર સુધી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું છે. જેને લઇને આગામી દસ દિવસ સુધી ધંધા-રોજગાર સ્વયંભુ બંધ રાખવામાં આવશે. ઇડરમાં દવા અને દૂધ સિવાયની તમામ દુકાનો બંધ રહેશે.