સરકારની સંજીવની યોજનાનું બનાસકાંઠામાં સૂરસૂરિયું થઈ ગયું છે. સરકાર દ્વારા આંગણવાડીમાં અને સ્કૂલમાં ભણતા નાના બાળકોને પોષ્ટીક આહાર મળી રહે તે હેતુથી સંજીવની યોજના શરૂ કરવામાં આવી. પરંતુ તેમાં પણ કોન્ટ્રાક્ટરોનો મહાભ્રષ્ટાચાર સામે આવ્યો છે. કોન્ટ્રાક્ટરો ડેરીમાંથી દૂધનો મોટો જથ્થો લઈ તેને વેડફી રહ્યા છે.
આ દૂધ બાળકો સુધી પહોંચતું જ નથી. જેનો જીવીત દાખલો થરાદ-સાંચોર હાઈવે પર જોવા મળ્યો છે. બાળકોના મુખ સુધી પહોંચનારું દૂધ બાળકો સુધી ન પહોંચી રસ્તા પર જ ફેંકી દેવામાં આવ્યું. થરાદ-સાંચોર હાઈવે પર 500 જેટલા દૂધના પાઉંચ ફેંકી કોન્ટ્રાક્ટર ફરાર થઈ ગયા છે તો કોન્ટ્રાક્ટરો કરોડોનો ભ્રષ્ટાચાર આંચરી રહ્યા હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે.
જોકે આ પ્રકારની ગેરરીતિ સામે આવતા સરકારની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે કે શું રાજ્યની સરકાર એક વખત કોઈ યોજના શરૂ કર્યા પછી તેની દરકાર નથી લેતી ? શું સરકાર માત્ર વોટબેંક માટે યોજનાઓ શરૂ કરે છે ? શું સરકાર માત્ર યોજનાઓના નામે તાયફાઓ જ કરે છે ? સવાલ એ પણ છે કે જો સરકારને સાચે જ ગુજરાતની જનતા પ્રત્યે સહાનુભૂતી છે તો પછી આ રીતે દૂધની નદીઓ રસ્તાઓ પર કેમ વહી રહી છે..?