એક તરફ સમગ્ર વિશ્વમાં કોરોના આતંક મચાવી રહ્યો છે ત્યારે બનાસકાંઠા જીલ્લામાં કોરોના વચ્ચે ડીપ્થેરીયાએ માથું ઊંચક્યું છે.. જીલ્લામાં છેલ્લા એકાદ માસમાં ડીપ્થેરીયાથી સાત બાળકોના મોત અને 34 જેટલા કેસ મળી આવ્યા હોવાની ચોંકાવનારી માહિતી અધિક જિલ્લા આરોગ્ય અધિકારીએ જાહેર કરી છે.
34 કેસ સામે આવતા બનાસકાંઠા જીલ્લામાં ફફડાટ
ડીપ્થેરીયાના ગંભીર પરિણામ બનાસકાંઠા જિલ્લાએ ગત વર્ષે જોઈ લીધા છે
ગત વર્ષે ડીપ્થેરીયા ના 381 કેસ સામે આવ્યા હતા જેમાં 17 બાળકોના મોત
અત્યારે સહુથી વધુ લોકો કોરોનાથી ભયભીત છે. પરંતુ કોરોના વચ્ચે બનાસકાંઠા જીલ્લામાં હવે ડીપ્થેરીયા માથું ઊંચી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં ગત વર્ષે ડીપ્થેરીયા ના 381 કેસ સામે આવ્યા હતા જેમાં 17 બાળકોના મોત થયા હતાં.
34 કેસ સામે આવતા બનાસકાંઠા જીલ્લામાં ફફડાટ
ચાલુ વર્ષે માં છેલ્લા એક માસની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં ડીપ્થેરીયાથી 34 કેસ સામે આવ્યા છે.સાત બાળકોના મોત નિપજ્યાં છે.. બનાસકાંઠા જીલ્લામાં ડીપ્થેરીયાથી ધાનેરા તાલુકામાં 10 કેસ જેમાં 1 નું મોત, થરાદમાં 12 કેસ 3 ના મોત, વાવમાં 3 કેસ 1 નું મોત, પાલનપુરના 2 કેસ 1 નું મોત અને ડીસા તાલુકામાં 4 કેસ 1 બાળકનું મોત થયું લાખણી માં 3 કેસ હોવાનું સામે આવ્યું છે. બનાસકાંઠા જીલ્લામાં ડીપ્થેરીયાથી સાત બાળકોના મોત નિપજ્યા છે. 34 કેસ સામે આવતા બનાસકાંઠા જીલ્લામાં ફફડાટ મચી ગયો છે.
ડીપ્થેરીયાના ગંભીર પરિણામ બનાસકાંઠા જિલ્લાએ ગત વર્ષે જોઈ લીધા છે
બનાસકાંઠાના અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જીજ્ઞેશ હરિયાણી ડીપ્થેરીયાએ ગંભીર બીમારી છે અને ગત વર્ષે પણ બનાસકાંઠા જીલ્લામાં ડીપ્થેરીયાએ ભારે આતંક મચાવ્યો હતો.. અને મોટી સંખ્યામાં બાળકોના મોત નિપજ્યાં હતા. ત્યારે આ વર્ષે કોરોના વાઇરસ વચ્ચે ડીપ્થેરીયાનો આતંક ફેલાય તે પહેલા તકેદારી રાખવાની સલાહ આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી રહી છે. ડીપ્થેરીયાના ગંભીર પરિણામ બનાસકાંઠા જિલ્લાએ ગત વર્ષે જોઈ લીધા છે. અને આ વર્ષે કોરોના વાઇરસ વચ્ચે જો ડીપ્થેરીયાને અંકુશમાં લેવામાં નહીં આવે તો આગામી સમયમાં મોટી સમસ્યા સર્જાઈ શકે તેમ છે.