બનાસકાંઠાના વાવમાં છેલ્લા 24 કલાકમાં બે કેનાલમાં ભંગાણની ઘટનાઓ સામે આવી છે. જેમાં વાવ તાલુકાના કુંડળીયા અને અરજણપુરા ગામની કેનાલમાં ગાબડા પડતા ખેડૂતોને પરેશાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે.
બનાસકાંઠાના વાવમાં છેલ્લા 24 કલાકમાં બે કેનાલમાં ભંગાણ
વાવના કુંડળીયા અને અરજણપુરાની કેનાલમાં પડ્યા ગાબડાં
અનેક રજૂઆત બાદ પણ અધિકારીઓના આંખ આડા કાન
પ્રાપ્ત મળતી વિગતો અનુસાર અરજણપુરા ગામની માઈનોર કેનાલમાં 50 ફૂટનું ગાબડું પડતા ખેતરોમાં પાણી ઘુસ્યા છે, તો બીજી તરફ કુંડળીયા ગામની ડિસ્ટ્રિક્ટ કેનાલમાં 25 ફૂટનું ગાબડું પડ્યું છે. કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં પાણી ઘુસતા ઉભા પાકને નુકસાન થઈ રહ્યુ છે.
આ મામલે ખેડૂતો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે તેમ છતા તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારથી કાર્યવાહી કરવામાં આવતી નથી. કેનાલમાં ગાબડા પડવાની પાછળ અધિકારીઓ ખેડૂતોને જવાબદારી માનીને કાર્યવાહી કરતા ન હોવાનું સામે આવ્યું છે.