બનાસકાંઠાના દિયોદરના ચિભડા ગામમાં RTI કરનાર વ્યક્તિ પર જીવ લેણ હૂમલો કરાયો છે.
ચિભડામાં RTI કરનાર પર હુમલો
સરપંચ સહિત 6 લોકોએ કર્યો હુમલો
જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ
બનાસકાંઠાના દિયોદરના ચિભડામાં RTI કરનાર પર હુમલો કરવામાં આવ્યો છે. આ મામલે પંથકમાં ચકચાર મચી ગઈ હતી.
ચિભડા ગામમાં RTI કરનાર વ્યક્તિ પર જીવ લેણ હૂમલો કરાયો છે.
કેમ કરાયો હૂમલો?
બનાસકાંઠાના દિયોદરના ચિભડામાં શરમજનક ઘટના ઘટી છે. ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર મામલે RTI કરનાર પર હુમલો થયો છે. સત્ય બહાર ન આવે એટલે આ જીવલેણ હૂમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.
કોણે કર્યો હૂમલો
ગામના સરપંચ સહિત 6 લોકોએ ઘરે આવીને હૂમલો કર્યો હતો એટલું જ નહીં પરંતુ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની પણ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. ઘટનામાં ભ્રષ્ટાચારના મામલાને દબાવવા માટે ગામના સરપંચ સહિતના લોકો કોશિશ કરી રહ્યા હતા. પરંતુ જ્યારે વાત હાથમાં ના રહી તો જીવલેણ હૂમલો કરી દીધો હતો.
પોલીસસ્ટેશને નોંધાઈ ફરિયાદ
ગામના જ સરપંચ સહિત 6 શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે. આ ઘટનામાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડાયા છે અને પોલીસે પોતાની કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.