બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં તીડનું આક્રમણ વધ્યું છે. જેને લઈ સરકાર અને તંત્ર એક્શનમાં આવી ગયું છે. તીડ મામલે કૃષિ મંત્રીએ ફરી એક વખત સરહદી વિસ્તારની મુલાકાત લીધી હતી.
તીડના ઇંડામાંથી નાના બચ્ચા દેખાતા કેન્દ્ર અને રાજ્યની ખેતીવાડી ટીમ દોડતી થઇ ગઇ છે. હાલ 8 જેટલી તીડ કંટ્રોલની ટીમો જંતુનાશકો દવાઓનો છંટકાવ કરવામાં લાગી છે. તીડ કંટ્રોલ વિભાગના રીપોર્ટ અનુસાર અત્યારે ભારત પાકિસ્તાન સરહદ પર મોટા પ્રમાણમાં અત્યારે તીડનું પ્રજનન થાય છે. જેની સીધી અસર બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં થાય છે.
બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં તીડ દેખાતા જ ખેડૂતોમાં ભયનો માહોલ છવાયો છે. ખેડૂતો સરકાર પાસે અપેક્ષા રાખી રહ્યા છે કે, તીડને કોઈપણ ભોગે કંટ્રોલ કરવામાં આવે. જેથી ખેતીના પાકોને નુકશાન થાય નહીં.