બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Banaskantha Accident News: Padyatri dies while going to Ambaji Darshan

દુ:ખદ ઘટના / ડીસાથી અંબાજી તરફ જતા પદયાત્રીનું મોત: અજાણ્યા વાહનચાલકે મારી ટક્કર, પોલીસ ટીમ ઘટનાસ્થળે

Malay

Last Updated: 12:40 PM, 28 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Banaskantha Accident News: પાલનપુર-ડીસા હાઈવે પર ચંડીસર નજીક અજાણ્યો વાહનચાલક પદયાત્રીને ટક્કર મારીને ફરાર, મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ચંડીસર રેફરલમાં ખસેડાયો.

  • ચંડીસર નજીક અકસ્માતમાં પદયાત્રીનું મૃત્યુ
  • વાહનચાલક પદયાત્રીને ટક્કર મારીને ફરાર
  • અંબાજી તરફ જતા પદયાત્રીનું ઘટનાસ્થળે મૃત્યુ

Banaskantha Accident News: અંબાજી ભાદરવી પૂનમના મહામેળાનો આજે છઠ્ઠો દિવસ છે. 5 દિવસમાં 30,47,032 ભક્તોએ માતાજીના ચરણોમાં શીશ ઝૂકાવીને આશીર્વાદ મેળવ્યા છે. પાંચમાં દિવસે 10 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા છે. હજુણ પણ દૂર-દૂરથી પગપાળા સંઘ માં અંબેના દર્શન માટે પહોંચી રહ્યા છે. બોલ માડી અંબે જય જય અંબેના નાદથી રસ્તાઓ ગુંજી રહ્યા છે. આ વચ્ચે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. પાલનપુર-ડીસા હાઈવે પર અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા પદયાત્રીનું મૃત્યુ નિપજ્યું છે. 

અમદાવાદ બન્યું અકસ્માતનું શહેર! છેલ્લા 24 કલાકમાં 3 અલગ-અલગ અકસ્માતમાં 5  લોકોને કાળ ભરખી ગયો | 3 accidents occurred in the last 24 hours on SG  highway of Ahmedabad, 5 people died
ફાઈલ તસવીર

અજાણ્યા વાહનચાલકે મારી ટક્કર
મળતી માહિતી અનુસાર, બનાસકાંઠા જિલ્લાના પાલનપુર-ડીસા હાઇવે પર ચંડીસર નજીક અજાણ્યા વાહનચાલકે અંબાજી માં અંબાના દર્શને જઈ રહેલા પદયાત્રીને ટક્કર મારી હતી. પદયાત્રીને ટક્કર માર્યા બાદ વાહનચાલક ફરાર થઈ ગયો હતો. તો આ અકસ્માતમાં પદયાત્રીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ બનાવને પગલે પદયાત્રીઓ અને રાહદારીઓના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. 

પદયાત્રીનું ઘટનાસ્થળે જ મોત
આ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. જે બાદ પોલીસ દ્વારા મૃતદેહને પીએમ અર્થે ચંડીસર મોકલવામાં આવ્યો હતો. તો બીજી બાજુ પોલીસ દ્વારા અકસ્માત સર્જનાર વાહનચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે.  

ફાઈલ તસવીર

અંબાજી દર્શન કરવા જતા પરિવારને નડ્યો હતો અકસ્માત 
અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ અંબાજી દર્શન માટે મોપેડ પર જતાં પરિવારને અકસ્માત નડ્યો હતો. ત્રણ લોકો પર ટ્રકના તોતિંગ પૈડા ફરી વળતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેઓેને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. દાહોદના ઠાપરી ગામના રાકેશભાઈ સાસી, તેમના પત્ની સરિતાબેન અને દીકરી રાધિકા સાથે મોપેડ પર અંબાજી દર્શન માટે જઈ રહ્યા હતા.

કૂતરું વચ્ચે આવતા મોપેડ સ્લીપ ખાઈ ગયું
આ દરમિયાન દાહોદના સુખસર નજીક ટ્રકને ઓવરટેક કરતી વખતે આગળ કૂતરું આવી જતાં તેઓનું મોપેડ સ્લીપ ખાઈ ગયું હતું. જેથી પાછળ આવી રહેલી ટ્રકના પૈડા રાકેશભાઈના હાથ પર અને તેમના પત્ની સરિતાબેનના બંને પગ પર ફરી વળ્યા હતા. જેથી રાહદારીઓ દ્વારા તેઓને તાત્કાલિક દાહોદની હોસ્પિટલ  ખાતે ખસેડવામાં આવ્યા હતા. 

સંકળાયેલા મુદ્દાઓ

Accident News Ambaji Darshan Ambaji Temple Banaskantha અંબાજી મેળો અંબાજી મેળો 2023 ડીસામાં અકસ્માત પદયાત્રીનું મોત ભાદરવી પૂનમ મેળો Banaskantha Accident News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ