21 વર્ષના યુવાને ચૂટણીમાં જંપલાવ્યુ હતું જેમાં 56 મતથી પીઠ ઉમેદવાર સામે હાર મળી હતી, પણ યુવક નાસીપાસ ન થાય એ માટે ગામલોકોએ દિલદારી દેખાડી 10 લાખની મદદ કરી
બનાસકાંઠાના માધપુરા ગામલોકોએ દેખાડી દિલદારી
હારેલા ઉમેદવારને 10 લાખની મદદ
21 વર્ષના યુવાને જંપલાવ્યુ હતું ચૂટણીમાં
જીવનમાં ઉતાર-ચડાવ અને હાર-જીત તો હંમેશા આવે છે.તેમાં પણ હારનો સામનો કરનાર વ્યક્તિ હંમેશા નિરાશ જોવા મળે છે.પરંતુ બનાસકાંઠાના એક ગામના લોકોએ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં હારેલા ઉમેદવારનું લાખો રૂપિયાની ભેટ આપી સન્માન કર્યું છે.તેને પ્રોત્સાહિત કરવાનું કામ કર્યું છે.ત્યારે ક્યાં આવેલું છે આ ગામ અને શા માટે હારેલા ઉમેદવારને કરાયો
21 વર્ષીય યુવક હારી જતાં નાસીપાસ ન થાય તે માટે આપ્યું 10 લાખનું ઈનામ
ચૂંટણી એટલે કે, આપણા માટે લોકશાહીનું પર્વ.અને આ પર્વમાં જ લોકો પોતાનું પ્રતિનિધિત્વ કોઈ સારા વ્યક્તિ કરે તે માટે મતદાન કરે છે.જોકે ચૂંટણી યોજાય એટલે તેના બે પાસા પણ ચોક્કસથી સામે આવે.અને આ પાસા એટલે કે, હાર અને જીત.પરંતુ બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અનોખી જ બાબત સામે આવી.જ્યાં જીતેલા ઉમેદવારને નહીં પરંતુ હારનાર ઉમેદવારને લાખો રૂપિયા આપી પોત્સાહિત કરાયો.આપણે વાત કરી રહ્યા છીએ પાકિસ્તાન સરહદે આવેલા માધવપુર ગામની..જ્યાં 21 વર્ષિય યુવક અલ્પેશ ચૌધરી પીઢ અનુભવી ઉમેદવાર સામે હારી જતાં ગ્રામજનોએ ભેગા મળી એક કલાકમાં દસ લાખ રૂપિયા રોકડ એકઠા કરી હારેલા યુવાનને પ્રોત્સાહન રૂપે આપ્યા હતા. ગામ માટે તેને કરેલી હિંમત સૌથી મોટી જીત હતી.અને આ હિંમત ક્યારેય ડગમગાય નહીં તે માટે યુવાનને પ્રોત્સાહિત કરાયો.
56 વોટથી હારી ગયો હતો અલ્પેશ ચૌધરી
આ અનોખા પ્રોત્સાહનની સમગ્ર ઘટના અંગે વાત કરવામાં આવે તો.મસાલી માધપુરા ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પીઢ અનુભવી અને ભાજપ અગ્રણી મંગીરામભાઈ રાવલ સામે અલ્પેશ ચૌધરી નામના 21 વર્ષિય યુવકે ઉમેદવારી નોંધાવી હતી. આ ચૂંટણીમાં મંગીરામભાઈ ને 755 મત મળ્યા હતા, જ્યારે અલ્પેશ ચૌધરીને 699 મત મળતા તેઓ 56 વોટ થી હારી ગયા હતા.તેમ છતાં પણ ગ્રામજનોએ તેને સન્માનિત કર્યો હતો. 21 વર્ષીય યુવક હારી જતાં નાસીપાસ ના થાય અને આર્થિક રીતે પણ તે તૂટી ન જાય તે માટે ચૌધરી સમાજના આગેવાનો ભેગા થયા હતા. એક કલાકની અંદર ચૂંટણીમાં થયેલા ખર્ચ એટલે કે દસ લાખ રૂપિયા ભેગા કરી ઉમેદવારને પ્રોત્સાહન રૂપે આપ્યા હતા. આ પ્રોત્સાહન મળ્યા બાદ અલ્પેશ અને તેનો પરિવાર કેવી લાગણી અનુભવે છે
મહત્વનું છે કે, કોઈપણ વ્યક્તિ હારનો સામનો કરે તો તે નિરાશા અનુભવે છે.લોકો સાથે નજરો નથી મિલાવી શક્તો.અને આર્થિક રીતે તે તુટી જાય છે.લોકો પણ તે વ્યક્તિને કોસતા હોય છે.પરંતુ મસાલી માધપુરા ગામના લોકોએ હારેલા ઉમેદવારનું સન્માન કરીને એક ખુબ જ સુંદર ઉદાહરણ આપ્યું છે.સાથે જ યુવાનની હિંમતને સલામ કરી છે.કારણ કે, ગામમાં કોઈએ તો ચૂંટણીમાં કદ્દાવર નેતાને પડકારવાની હિંમત કરી હતી.